જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં બુકાનીધારી લોકોના હુમલાની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવનની તરફ માર્ચ કરવાના પ્રયાસ કરવા દરમિયાન પોલીસે રોક્યા અને બાદમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પોલીસે જનપથ પર ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો.
JNU હિંસાના વિરોધમાં આજે પણ પ્રદર્શન
JNU વિદ્યાર્થી-શિક્ષકોએ નીકાળી માર્ચ
વિદ્યાર્થીઓની કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ
પોલીસે લાઉડસ્પીકરોથી ભીડને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. વિદ્યાર્થીઓના રાષ્ટ્રપતિ ભવનની તરફ આગળ વધતા પહેલા, જેએનયુ વિદ્યાર્થી સંઘ અને જેએનયુ શિક્ષક સંઘે માનવ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી.
બીજી તરફ એચઆરડી (HRD) મંત્રાલયના અધિકારીઓ અને જેએનયુ (JNU) પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી બેઠક સમાપ્ત થઇ ગઇ છે. બેઠક બાદ જેએનયુએસયુ (JNUSU)ની અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, જ્યાં સુધી કુલપતિ એમ જગદીશ કુમારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની વાતચીત નથી થાય અને મંત્રાલય વાતચીત કરવા ઇચ્છે છે તો યુનિવર્સિટી કેમ્પસ આવે.
JNUSUની અધ્યક્ષે પોલીસની કાર્યવાહી પર સવાલ
JNUSUએ ટ્વિટ કરી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જેએનયુએસયુ (JNUSU)એ કહ્યું કે, સાંજના 6 વાગ્યાનો સમય છે. શું પોલીસ બતાવી શકે છે કે, કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને કથિત રૂપ સૂર્યાસ્ત બાદ વિના કોઇ મહિલા અધિકારીની હાજરીમાં કેમ કસ્ટડીમાં લેવામાં આવ્યા?
Delhi: Police detain protesters near Ambedkar Bhawan. They were marching towards Rashtrapati Bhavan demanding removal of the Jawaharlal Nehru University's Vice Chancellor following Jan 5 violence in the campus. https://t.co/9T6ruAZnf6pic.twitter.com/mCMtGwi9Zl
5 જાન્યુઆરીએ જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં દેશભરમાં સ્ટૂડેન્ટ્સ પ્રદર્શન કરી રહ્યા છે. આજે રાજધાની દિલ્હીમાં સ્ટૂડેન્ટ્સની સાથે જ પોલિટિકલ પાર્ટીઓએ માર્ચ નીકાળી. આ માર્ચ મંડી હાઉસથી એચઆરડી મંત્રાલયની તરફ નીકાળવામાં આવી. વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ પ્રદર્શનમાં સીપીએમ લીડર સીતારામ યેચૂરી, પ્રકાશ કરાત, બૃંદા કરાત, સીપીઆઇ મહાસચિવ ડી રાજા અને લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવ પણ સામેલ થયા.
બૃંદા કરાતે બીજેપી પર નિશાન સાધ્યું
હાથમાં પોસ્ટર લઇને પ્રદર્શનકારીઓએ મંડી હાઉસથી માર્ચ નીકાળી. પોસ્ટર પર 'CAA નહીં, NRC નહીં', 'યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસવા પર ABVP પર પ્રતિબંધ લગાવો', 'હિંસા ત્યાગ કરો', 'શિક્ષણ ખરીદવા-વેચવાની વસ્તુ નથી', ના નારા લખ્યા હતા. મંડી હાઉસમાં માર્ચમાં સામેલ બૃંદા કરાતે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, 'લોકોએ અવાજ ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે અને આ સરકાર સ્વીકાર કરવા માંગતી નથી. સરકાર બનાવતી વાર્તાઓ ઘડી રહી છે કે, વિરોધનો વિદ્યાર્થીઓ સાથે કોઇ લેવા-દેવા નથી, પરંતુ આ રાજનીતિ છે.