ક્યારેક પંડિત જવાહર લાલ નેહરુએ એક પત્રમાં આ વાતનો સંકેત આપ્યો હતો કે ધીરે ધીરે અનુચ્છેદ 370ની જોગવાઇ ખતમ થઇ જશે. નહેરુની ભવિષ્યવાણી મોદી સરકારમાં સાચી સાબિત થઇ.
મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરનાર અનુચ્છેદ 370ને જોગવાઇને હટાવી દીધી છે. તો બીજી બાજુ સરકારે રાજ્યસભામાં રાજ્ય પુનર્ગઠનનો પણ સંકલ્પ રજૂ કર્યો. જેનાથી જમ્મુ કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છ. તો એનાથી લદાખને અલગ કરતાં અલગ રાજ્ય બનાવવાની વાત કહેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની સમસ્યા પર પોતાની નીતિઓને લઇને ટીકાઓનો શિકાર બનનાર પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ જાણતા હતા કે એક દિવસ અનુચ્છેદ 370 ને હટવાનું જ છે. એમની આ ભવિષ્યવાણીની ઝલક જમ્મુ કાશ્મીરના તત્કાલીન નેતા પં. પ્રેમનાથ બજાજને લખેલા પત્રમાં જોવા મળે છે.
શું કહ્યું હતું પં, નહેરુ એ ?
21 ઓગસ્ટ 1962 એ અનુચ્છેદ 370 ના સંબંધમાં પં. પ્રેમનાથ બજાજના પત્રનો જવાબ આપતા જવાહર લાલ નહેરુએ લખ્યું હતું, 'વાસ્તવિકતા એ છે કે સંવિધાનમાં આ ધારા હોવા છતાં, જો કે જમ્મુ કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપે છે. ઘણું બધું કરવામાં આવ્યું છે અને જે થોડું રહ્યું છે એ ધીમે ધીમે સમાપ્ત થઇ જશે. ક્યારેક ક્યારેક ભાવના મહત્વપૂર્ણ હોય છે પરંતુ આપણે બંને પક્ષની સરખામણી કરવી જોઇએ અને હું વિચારું છું કે વર્તમાનમાં આપણે આ સંબંધમાં બીજું કોઇ પરિવર્તન કરવું જોઇએ નહીં.'
જવાહર લાલ નહેરુ અને પં. પ્રેમનાથ બજાજની વચ્ચે થયેલા આ પત્ર વ્યવહારનો ઉલ્લેખ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહવને પોતાના પુસ્તક દહકતે અંગારામાં કર્યો છે. જગમોહન પોતાના પુસ્તકમાં લખે છે કે આ પત્રથી ખબર પડે છે કે નહેરુએ પોતે ધારા 370માં ભાવિ ફેરફારથી ઇનકાર કર્યો નહતો. 'ઘણું બધું કરવામાં આવ્યું છે' માનવામાં આવી રહ્યું છે કે આ રથન પાછળ નહેરુનો આશય હતો કે ધારા 370માં જરૂર પડવા પર સરકાર સંશોધન કરતી રહી છે. એવામાં સમય આવવા પર ધીમે ધીમે સંશોધનનો દ્વારા અન્ય જોગવાઇ પણ ખતમ થઇ જશે.
જગમોહન બે વખત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહ્યા. પહેલી વખત તેઓ એપ્રિલ 1984થી જૂન 1989 સુધી અને બીજી વખત જાન્યુઆરી 1990 થી મે 1990ની વચ્ચે રાજ્યપાલ રહ્યા.
એમને પુસ્તકમાં લખ્યું છે કાશ્મીર સમસ્યાનો વાસ્તવિક ઉકેલ નબળાઇઓ અને નકારાત્મક કારણોને દૂર કરીને જ શક્ય છે. નવી દ્રષ્ટિ અને નવા ભારતનો ઉત્સાહ માટે નવા ભારતની આવશ્યકતા છે.
કેવી રીતે લાગૂ થયો છો અનુચ્છેદ 370
દેશની આઝાદી મળ્યા બાદ રાજ્યોની એકીકરણની પ્રક્રિયા શરૂ થઇ. 25 જુલાઇ 1952 એ મુખ્યમંત્રીઓને લખેલા પંડિત જવાહર લાલ નહેરુના પત્રથી અનુચ્છેદ 370 લાગૂ થયા હોવાની જાણકારી મળી હતી. આ પત્રમાં નહેરુએ લખ્યું છે જ્યારે નવેમ્બર 19498માં અમે ભારતના બંધારણને અંતિમ રૂપ આપી રહ્યા હતા. ત્યારે સરદાર પટેલે આ મામલાને જોયો. ત્યારે તેમને જમ્મુ અને કાશ્મીરને આપણા બંધારણમાં એક વિશેષ પણ પરિવર્તનશીલ દરજ્જો આપ્યો. આ દરજ્જાને સંવિધાનમાં ધારા 370ના રૂપમાં દાખલ કરવામાં આવ્યો. આ ઉપરાંત 26 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી પણ એને દાખલ કરવામાં આવ્યો. આ અનુચ્છેદના માધ્યમથી અને આ આદેશના માધ્યમથી આપણા બંધારણના કેટલોક હિસ્સો જ કાશ્મીર પર લાગૂ થાય છે.