દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની આજે 56મી પુણ્યતિથિ છે. 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દેશના અન્ય મોટા નેતાઓએ પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલી આપી છે.
પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ આજે
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટર કરી લખ્યું કે, 'પુણ્યતિથિ પર દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ'
Tributes to our first PM, Pandit Jawaharlal Nehru Ji on his death anniversary.
જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે પંડિત જવાહર લાલ નેહરૂ જી એક બહાદુર સ્વતંત્ર સેનાની, આધુનિક ભારતના નિર્માતા અને આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા. તેઓએ દેશને એવી મોટી સંસ્થાઓ આપી જે સમયસર આપણને કામ આવી. તેમની પુણ્યતિથિ પર હું દેશના મહાન પુત્રને નમન કરુ છું.
Pandit Jawaharlal Nehru Ji was a brave freedom fighter, the architect of modern India & our first PM. A visionary, he is immortalised in the world class institutions he inspired, that have stood the test of time.
આ સિવાય કોંગ્રેસ તરફથી ટ્વિટર હેંડલ પર જવાહરલાલ નેહરુને લઇને ઐતિહાસિક વકત્વ્ય, તેમના દ્વારા કરવામાં આવેલા કામોની યાદી ટવિટ કરી છે.
Your vision gave us a thriving democracy, your rationality helped us strive towards development and your empathetic nature taught us tolerance & brotherhood. And for all this and more #IndiaThanksNehruji, for laying a solid foundation of a truly modern India. pic.twitter.com/A1DxYd4LJO
પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદ થયો હતો. 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી મામલા પર બિનજોડાણવાદી નીતિઓની શરૂઆત જવાહરલાલ નેહરુએ કરી હતી.
27 મેના 1964ના રોજ જવાહરલાલ નેહરુની તબિયત ખરાબ થઇ અને તેમનું નિધન થઇ ગયું. પંડિત જવાહરલાલ નેહરુને 11 વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યાં હતા.