અમે આ મુદ્દાને હાલમાં સંભાળી જ રહ્યા છીએ- નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમમે બુધવારે રાજ્યસભામાં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પર કશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જઈને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કકે, આ મુદ્દાને વૈશ્વિક મંચ પર નહોતો લઈ જવાનો. કારણ કે, આ એક ભારતીય મુદ્દો હતો.
પ્રધાનમંત્રી નહેરુએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે પ્રથમ યુદ્ધ ફેલાયા બાદ જાન્યુઆરી 1948માં દાખલ કરવામાં આવેલી અરજીના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અપીલ કરી હતી. આ અરજીના આધાર પર સુરક્ષા પરિષદે બંને દેશોની વચ્ચે મધ્યસ્થતા માટે ભારત અને પાકિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્ર આયોગની સ્થાપના કરી હતી.
It was our first PM Pt. Jawahar Lal Nehru ji who internationalised the Kashmir issue. He took it to the United Nations in December 1947. Why?...This issue shouldn't have gone to a global forum. It's an Indian issue. We could've handled it.
રાજ્યસભામાં બોલતા નિર્મલા સીતારમણે કહ્યું કે, અનિર્વાય રીતે ભારત સાથે સંબંધિત મુદ્દો છે. કોંગ્રેસ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગઈ. તેને કોણે લીધો ? આપણા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા. કેમ ? કારણ કે, અંગ્રેજોએ તેમને કંઈક સલાહ આપી હશે કે, આ મુદ્દો નહીં સુધરે અને પીએમ નહેરુ તેને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા.
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આજ સુધી આપણા પાડોશીઓ તેનો દુરૂપયોગ કરી રહ્યા છે ( પીએમ નહેરુના કશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાના સંદર્ભમાં). કશ્મીરને ભારતનો અભિન્ન અંગ ગણાવતા એક ભારતીય મુદ્દો છે. આપણે તેને સંભાળી શક્યા હોત. અમે હાલમાં સંભાળી જ રહ્યા છીએ અને બંને સરકારો વચ્ચેનું અંતર દેખાઈ રહ્યું છે.