ભારતનાં પૂર્વ ક્રિકેટર વિનોદ કામ્બલીએ જાવેદ મિયાંદાદને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી મિયાંદાદે માંગ કરી હતી કે ICCએ ભારતમાં ઇન્ટરનેશનલ મેચ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારત વિદેશી ક્રિકેટરો માટે સુરક્ષિત નથી. જે બાદ કામ્બલીએ સોશિયલ મીડિયામાં તેમણે જવાબ આપ્યો છે.
મિયાંદાદ, તમારી આંગળી કરવાની તે હજી નથી ગઈ : વિનોદ કામ્બલી
ભારત અસુરક્ષિત દેશ : મિયાંદાદ
દસ વર્ષ બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ
અમારો દેશ સુરક્ષિત છે : વિનોદ કામ્બલી
ઉલ્લેખનીય છે કે કામ્બલી ભારત માટે 104 વન ડે અને 17 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું 'મિયાંદાદ, તમારી આંગળી કરવાની તે હજી નથી ગઈ. રીટાયર થયા પછી પણ ચાલુ છે. અમારો દેશ સુરક્ષિત છે અને અમારા મેહમાન દેશોને પૂરતી સુરક્ષા પ્રદાન કરાવીએ છે. તમારે એ જોવું જોઈએ કે કયો દેશ પાકિસ્તાન આવવા માંગે છે.
મિયાંદાદે કહ્યું હતું ભારતમાં કોઈએ મેચ રમવા ન જવું જોઈએ
આ પહેલાં મિયાંદાદે કહ્યું હતું કે આઈસીસીનાં સહયોગી દેશોએ આગળ આવવું જોઈએ અને ભારતમાં રમવાનું બંધ કરવું જોઈએ કારણ કે ભારત સુરક્ષિત નથી. ભારતમાં લોકો પોતાના જ દેશવાસીઓથી લડી રહ્યા છે જુઓ શું થઇ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ એહસાન મનીએ પણ આ જ અઠવાડિયે કહ્યું હતું કે ભારતમાં પાકિસ્તાન કરતા પણ વધુ ખતરો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ને વધુ ખરાબ થઇ રહ્યા છે
નોંધનીય છે કે પાકિસ્તાનમાં દસ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઇ છે. શ્રીલંકાએ ત્યાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી. પાકિસ્તાન આ સીરીઝમાં 1-0થી વિજયી રહ્યું. વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો જે બાદ આ દેશમાં કોઈ પણ મેચ રમવા જતું નથી. કોઈ પણ દેશ દ્વારા પાકિસ્તાનનો પ્રવાસ કરવામાં આવ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ને વધુ ખરાબ થઇ રહ્યા છે. બોર્ડર પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જોકે પાકિસ્તાનમાં નેતા અને ક્રિકેટ બોર્ડનાં અધિકારીઓ અવાર નવાર બફાટ કરતા જ હોય છે.