2020નું વર્ષ બોલિવૂડ માટે જાણે અભિશાપ સમાન બની રહ્યું છે. એક બાદ એક સેલિબ્રિટીના નિઘનની ખબર આવી રહી છે. ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, વાજીદ ખાન, ઋષિ કપૂર અને હવે જગદીપ.. શોલેના સૂરમા ભોપાલી હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ક્લાસિક ફિલ્મ શોલેને જ્યારે પણ યાદ કરીએ ત્યારે જય-વિરુ, ઠાકુર અને બસંતિ સિવાય સૂરમા ભોપાલી પણ આપણા મોઢે આવી જ જાય પરંતુ હવે તે માત્ર શોલેમાં જ જોવા મળશે.
જાવેદ જાફરી પહોંચ્યા અંતિમ વિદાયમાં
સૂરમા ભોપાલીએ આપણી વચ્ચેથી લીધી વિદાય
8 જુલાઇએ જગદીપનું નિઘન તેમના મુંબઇ સ્થિત ઘરમાં થયુ છે. હવે જગદીપના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમનો પરિવાર તેમને વિદાય આપવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાવેદ જાફરી અને તેની પત્ની પિતાને અંતિમ વિદાયની તૈયારીઓ કરતા જોવા મળ્યા હતા.
Rest in Peace Jagdeep sir. I have performed/enacted so many of your film scenes on the stage of school functions. You will be missed. My condolences to @NavedJafri_BOO@jaavedjaaferi and the entire family 🙏🏻
જાવેદ અને તેની પત્ની હબીબા મુંબઇના યારી રોડ પર તેમના ઘરની બહાર ઉભા જોવા મળ્યા હતા. જાવેદ પણ ફોન પર વાત કરતો જોવા મળી રહ્યો છે. જાફરી પરિવાર અને ખાસ કરીને જાવેદ માટે આ સૌથી મુશ્કેલ સમય છે. જાવેદ તેના પિતાને અતિશય પ્રેમ કરતો હતો અને જગદીપનો પુત્ર હોવાનો તેમને ગર્વ હતો. હવે જ્યારે તેના પિતા દુનિયામાં નથી, ત્યારે તેમના માટે તે ખૂબ જ મુશ્કેલ સમય છે.
एक और सितारा ज़मीन से आसमान में जा पहुँचा।#Jagdeep साब हिंदी फ़िल्म जगत के एक बहुत ही बेहतरीन कलाकार थे। एक हास्य अभिनेता के नाते उनका कोई सानी नहीं था।एक पार्टी में बहुत साल पहले उन्होंने मुझसे कहा था,”बरखुरदार ! हँसना आसान है, हँसाना बहुत मुश्किल है!” आपकी कमी बहुत खलेगी।🙏 pic.twitter.com/48yF0gu9uv
તમને જણાવી દઇએ કે, જગદીપ બોલિવૂડના પહેલાના યુગના મોટા સ્ટાર્સમાંના એક હતા. તે તેમના પાત્ર સુરમા ભોપાલી તરીકે જાણીતા હતા. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેનો જન્મ 29 માર્ચ 1939 ના રોજ થયો હતો અને મૃત્યુ 8 જુલાઇ 2020ના રોજ નિપજ્યુ છે.