ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં વૃદ્ધ સાથે થયેલી મારપીટથી જોડાયેલા એક વાયરલ વીડિયોનો વિવાદ વધતો જ જઇ રહ્યો છે. જેમાં સ્વરા ભાસ્કર સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ મુદ્દે જાવેદ અખ્તરે પણ ટ્વિટ કર્યુ છે અને કહ્યું કે, હું તે લોકો વિશે વિચારી રહ્યો છુ જેમણે બેગુનાહ લોકોને એરેસ્ટ કર્યા છે. તેમને માર્યા, જેલમાં રાખ્યા, ખોટા પ્રુફ અને સાક્ષી બનાવીને પોતાના ઘરે ગયા, ખાધુ અને સુઇ ગયા વાહ!
Agree. I can believe a bunch of Muslims beat up an old Muslim man, but forced him to chant #JaiShriRam & cut off his beard?! That really the whole story? Anyway.. Love how Sanghis r conveniently ignoring the prime accused that Pravesh who beat the old man & forced him to chant! https://t.co/wv4XQFSRuj
શું છે સમગ્ર મામલો?
સોશ્યલ મિડીયા પર 14 જૂનના રોજ સામે આવેલા એક વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ અબ્દુલ સમદ સૈફીએ આરોપ લગાવ્યો કે કેટલાક યુવકોએ તેની પિટાઇ કરી અને જય શ્રી રામના જબરજસ્તી નારા લગાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. ગાઝીયાબાદ પોલીસે આ સાંપ્રદાયિક મામલો હોવાથી ઇન્કાર કરી દીધો હતો અને આરોપીઓ સૈફીથી નાખુશ હતા કારણકે સૈફીએ તેમને કોઇ તાવિજ આપ્યુ હતુ. પોલીસે સૈફી પર હુમલો કરવાના આરોપમાં ત્રણ લોકોને એરેસ્ટ કર્યા છે.
સ્વરા ભાસ્કરનું આવ્યુ રિએક્શન
સ્વરાએ કહ્યું કે, અત્યારે સવારના 5.40 વાગી રહયા છે. મે અંધારામાં મેગી બનાવી અને હવે હું તે જ વાસણમાં જમીન પર બેસીને મેગી ખાઇ રહી છુ, મને મારુ ભવિષ્ય ઉજ્જવળ નથી દેખાઇ રહ્યું.
તમને જણાવી દઇએ કે, આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે સોશ્યલ મિડીયા દ્વારા એક વીડિયો પ્રસારિત કરવા મુદ્દે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર, એક સમાચાર પોર્ટલ અને 6 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસલમાન ગાઝીયાબાદમાં કેટલાક લોકોના કથિત હુમલા બાદ પોતાની વ્યથા કહેતા દેખાઇ રહ્યાં છે. પોલીસે કહ્યું કે આ વીડિયો સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શૅર કરવામાં આવ્યો હતો.
એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સિવાય પત્રકાર આરફા ખાનમ શેરવાની, આસિફ ખાન અને ટ્વિટર ઇન્ડિયાના મનીષ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જે બાદ સ્વરા ભાસ્કર સતત એક્ટિવ દેખાઇ રહી છે. હાલમાં જ સ્વરાએ પોતાનો બચાવ કરતા ટ્વિટ કરી છે.