બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નેપોટીઝમ ગરમાયુ છે અને કંગના રનૌત નિડર થઇને દરેક ઉપર આરોપ લગાવી રહી છે. સમગ્ર બોલિવૂડના લોકોમાં નેપોટીઝમ મુદ્દે ચર્ચા થઇ રહી છે. કંગનાએ એક બાદ એક મોટા વ્યક્તિઓ ઉપર આરોપ લગાવ્યા છે. કંગનાએ લેજન્ડ જાવેદ અખ્તરને પણ બક્ષ્યા નથી અને કંગનાને જવાબ આપવા માટે જાવેદ અખ્તર પણ સામે આવ્યા છે.
કંગનાએ લગાવ્યો જાવેદ અખ્તર પર આરોપ
જાવેદ અખ્તરે કહ્યું કંગના છે ટેલેન્ટેડ
નેપોટીઝમ મુદ્દો હવે બંધ થવો જોઇએ
જાવેદ અખ્તરે કંગનાને જવાબ આપ્યો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે જાવેદે કંગના વિરુદ્ધ કોઇ ટિપ્પણી કરી નથી, તેમણે કંગનાની અને તેની એક્ટિંગની તારીફ કરી છે. તેમણે કહ્યું કે, કંગના આ ઇન્ડસ્ટ્રીમાં છે તે જ સાબિત કરે છે કે ટેલેન્ટ ક્યારેય વેસ્ટ જતુ નથી, કંગના ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર છે અને તે એક આઉટસાઇડર હોવા છતાં ટકી છે.
જાવેદ અખ્તરે માત્ર કંગનાની તારીફ નથી કરી પરંતુ આ ઇનસાઇડર અને આઉટસાઇડર ડિબેટનો અંત લાવવા માટેની પહેલ પણ કરી છે. તો બીજી તરફ જાવેદે કહ્યું કે પોતાના દિકરાને મદદ કરવી તે કોઇ ખોટી વાત નથી. જો તેને ખોટુ કહી શકાય તો દેશના દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ નેપોટિસ્ટ છે.
બીજી તરફ ફરહાન અખ્તરે પણ કહ્યું કે આ વિવાદ સૌથી વધારે ત્યારે ગરમાયો છે જ્યારે નવા ટેલેન્ટને સૌથી વધારે તક મળી રહી છે. ફરહાનની માનીએ તો આ કલ્ચરથી ખરેખર કોઇ ફરક પડતો નથી. કંગનાએ ઝોયા અખ્તર પર પણ નિશાનો સાધતા કહ્યું હતું કે, ગલી બોયને ઠેર ઠેર એવોર્ડ મળી રહ્યા છે તે ન મળવા જોઇએ.
તમને જણાવી દઇએ કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં બોલિવૂડમાં નેપોટીઝમ મુદ્દો ગરમાયો હતો અને એક બાદ એક પોતાની સાથે થયેલા ભેદભાવને લઇને ખુલીને સામે આવ્યા હતા. હવે આ મુદ્દો ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.