જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સતત પોતાના ટ્વીટ્સની મદદથી મોદી સરકારના આ નિર્ણયની નિંદા કરી રહ્યા છે.
ઇમરાન ખાનની ટ્વીટ
ઉલ્લેખનીય છે કે, 18 ઓગસ્ટના રોજ તેમણે અનેક ટ્વીટ્સ કરી હતી જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુત્વની વિચારધારાના પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયને લીધે લાખો કાશ્મીરીઓની સ્થિતિ મુશ્કેલ બની છે. જો કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીની આ ટ્વીટનો પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરે સણસણતો જવાબ આપ્યો હતો.
The Hindu Supremacist Modi Govt poses a threat to Pakistan as well as to the minorities in India & in fact to the very fabric of Nehru & Gandhi's India. To understand the link between Nazi ideology & the ethnic cleansing & genocide ideology of RSS-BJP Founding Fathers just Google
ઉલ્લેખનીય છે કે, ઇમરાને પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, હિન્દુત્વવાદી મોદી સરકાર માત્ર પાકિસ્તાન માટે જ નહીં પરંતુ તેમના પોતાના દેશના લઘુમતીઓ માટે પણ ખતરા સમાન છે. તેની સાથે તેઓ નેહરુ અને ગાંધીના તાણા-વાણા વાળા હિંદુસ્તાન માટે પણ ભયજનક બાબત છે. જાતીય નરસંહારની વિચારધારા વાળી RSS-ભાજપના સ્થાપકોની નાઝી વિચારધારા વચ્ચેના સંબંધને સમજવા માંગતા હો, તો ગૂગલ કરો.
The Hindu Supremacist Modi Govt poses a threat to Pakistan as well as to the minorities in India & in fact to the very fabric of Nehru & Gandhi's India. To understand the link between Nazi ideology & the ethnic cleansing & genocide ideology of RSS-BJP Founding Fathers just Google
ત્યારબાદ જાવેદ અખ્તરે ટ્વીટ કરીને ઇમરાન ખાનને સણસણતો જવાબ આપ્યો અને કહ્યું, "ડિયર ઇમરાન ખાન, હું એ વાતથી ખૂબ જ પ્રભાવિત છું કે તમે નેહરુ અને ગાંધીના ફેબ્રિક વાળા હિન્દુસ્તાન માટે ખૂબ ચિંતિત છો પણ તે નહેરુ અને ગાંધીનો ઢાંચો છે જેને તમારા કાયદે-એ-આઝમ દ્વારા 1947 માં તોડવામાં આવ્યો હતો. તમને યાદ છે?
Dear Mr Imraan Khan , I am deeply touched that you are so worried about the “ very fabric of Nehru n Gandhi ‘ s India “ . By the way it was the same fabric of Nehru n Gandhi ‘ s India that was torn by your Qaid-e- Azam in 1947 . Remember ???
જાવેદ અખ્તરે પોતાના ટ્વીટમાં ફરી એકવાર કટાક્ષ કરતા કહ્યું કે, ઇમરાન સાહેબ, જો લઘુમતીઓ પ્રત્યેની આવી ચિંતા અંગે હું તમારી પ્રશંસા નહીં કરું તો તે ખોટું ગણાશે. હું કલ્પના પણ કરી શકતો નથી કે જો તમે બીજાઓ માટે આટલું વિચારો છો અને તેમના માટે આટલા પ્રોટેક્ટિવ છો, તો પછી તમે તમારા દેશના હિન્દુઓ, ખ્રિસ્તીઓ, અહમદિયાઝ મોહજિર અને બલુચિસ્તાનના લોકોની સલામતી વિશે કેટલું વિચારશો? જો કે, જાવેદ અખ્તરના આવા સણસણતા જવાબને પગલે તેમના ચાહકોએ વખાણ કર્યા હતા.