બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે હાલમાં જ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાયો છે. કંગનાએ સોશ્યલ મિડીયા અને ન્યુઝ ચેનલ્સ સાથે વાત કરતી સમયે જાવેદ અખ્તર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તો જાવેદે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે.
કંગનાએ ટ્વિટ કર્યું છે કે, એક થી શેરની અને એક શિયાળનુ ઝૂંડ. સાથે જ કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતની ટ્વિટ શૅર કર્યુ હતુ જેમાં તેમણે જાવેદ અખ્તર કંગના પર કેસ કરશે તે વાત કરી રહ્યાં છે.
પોતાની ટ્વિટમાં રાઉતે લખ્યું છે કે, ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ટેલિવિઝન પર અપમાનજનક નિવેદન આપવા પર બોલિવૂડ અભિનેત્રી કંગના વિરુદ્ધ ફરિયાદ કરી છે. મુંબઇના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સામે ફરિયાદ કરી છે.
Lyricist Javed Akhtar files criminal complaint against Bollywood actress Kangana Ranaut for making defamatory statements on national and international television.
The complaint has been filed before the Metropolitan Magistrate at Andheri, Mumbai
તમને જણાવી દઇએ કે, કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, ઋત્વિક રોશન મામલા પર જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે રાકેશ રોશન પરિવાર મોટા લોકોનો પરિવાર છે. જો તું તેમની માફી નહી માંગે તો તું ક્યાંયની પણ નહી રહે. તે તને જેલમાં નાંખી દેશે અને તારી પાસે પોતાની જાતને નુકસાન પહોંચાડવા સિવાય કોઇ વિકલ્પ નહી રહે, તુ આત્મહત્યા માટે પણ વિચારી શકે છે. કંગનાએ ત્યારે કહ્યું કે મે જ્યારે તેમની વાત નહોતી માની તો તે મારા પર ગુસ્સે થયા હતા.