કંગના વિરુદ્ધ જાવેદ અખ્તરે માનહાનિનો કેસ કર્યો હતો. જાણો શું હતો આ કેસ તથા શું કહે છે અદાલત
ફરી કોર્ટ કેસનાં ચક્કરોમાં કંગના
જાવેદ અખ્તરે કર્યો માનહાનિ કેસ
શું કહે છે જાવેદ અખ્તરના વકીલ?
ફરી કોર્ટ કેસનાં ચક્કરોમાં કંગના
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતનો તો વિવાદો સાથે જુનો સંબંધ છે. તે અવારનાવર પોતાના કોઈને કોઈ નિવેદનને લઈને વિવાદોમાં આવી જાય છે. એક્ટ્રેસનાં એક નિવેદનને લઈને ગીતકાર જાવેદ અખ્તરે માનહાનિ કેસ દાખલ કરાવ્યો હતો. હવે આ મામલામાં અદાલત તરફથી કંગના રનૌતને ઝટકો લાગ્યો છે. સેશન કોર્ટે બુધવારે અભિનેત્રી કંગના રનૌત દ્વારા દાખલ કરાયેલ બે ફરિયાદો નામંજૂર કરી છે, જેમાં તેમના તથા ગીતકાર-કવિ જાવેદ અખ્તર વચ્ચેની કાર્યવાહીને લઈને અન્ય મેજીસ્ટ્રેટ અદાલતમાં સ્થળાંતરિત કરવાની માંગ કરવામાં આવી હતી.
જાવેદ અખ્તરે કર્યો માનહાનિ કેસ
જાવેદ અખ્તર દ્વારા કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિની ફરિયાદ બાદ કંગનાએ પણ તેમના વિરુદ્ધ વસૂલી, અપરાધિક રૂપથી ધમકાવવા તથા અન્ય આરોપો લગાવ્યા હતા તથા આ મામલામાં એક્ટ્રેસે કાર્યવાહીને સ્થળાંતરિત કરવાની માંગ કરી હતી. બંને કાર્યવાહી અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટનાં સમક્ષ છે. કંગનાએ દિંડોશી સેશન કોર્ટનાં દરવાજા ખટખાટાવ્યા હતા, જ્યાર બાદ અદાલતે 9 માર્ચ સુધી પોતાના આદેશને સુરક્ષિત રાખ્યો હતો.
કંગનાએ આમ કહેતા સ્થળાંતરની માંગણી દાખલ કરાવી હતી કે તેમણે અંધેરી અદાલત પરથી વિશ્વાસ ખોઈ દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, અદાલતે કહ્યું હતું કે તે સુનાવણીમાં સામેલ ન થઇ તો તેમના માટે અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવશે. તેમની સ્થળાંતરની માંગમાં અદાલત તરફથી 'પૂર્વાગ્રહ'નો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે ન્યાયાધીશે અરેસ્ટની ધમકી આપી હતી, ભલે પછી તેમની વિરુદ્ધનાં આરોપો બિન-જ્ઞાનક્ષમ તથા કમ્પાઉન્ડેબલ હતા.
શું કહે છે જાવેદ અખ્તરના વકીલ?
જાવેદ અખ્તરનાં વકીલે કંગનાની ટ્રાન્સફરની માંગનો વિરોધ કરતા કહ્યું કે ન્યાયાધીશે કંગનાની માંગોનો સ્વીકાર કર્યો હતો તથા તેમની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઓક્ટોબર 2021માં, મુખ્ય મોટરોપોલિટન મેજીસ્ટ્રેટની અદાલતે મામલાઓને સ્થળાંતરિત કરવાની કંગનાની માંગને એમ કહીને નકારી કે તેમનો આધાર અસ્પષ્ટ હતો. અખ્તરનાં વકીલોએ એ પણ કહ્યું કે ન્યાયાધીશે કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું તેને કંગના વિરુદ્ધ પક્ષપાત ન કહી શકાય.