ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નારાયણ રામેની ત્રિરંગા યાત્રા બાદ દિવંગત શિવસેના સંસ્થાપક બાલ ઠાકરના અસ્થાયી સ્મારકનું શુદ્ધિકરણ શિવસેનાની તાલિબાની માનસિકતાને દર્શાવે છે.
જાવેદ અખ્તરનું આ નિવેદન ચર્ચામાં
જાવેદ અખ્તરના આ લેખની થઈ રહી છે ટીકા
શિવસેના અને VHPને તાલિબાન સાથે સરખાવ્યા
પ્રસિદ્ધ ફિલ્મ લેખત અને ગીતકાર જાવેદ અખ્તરે શિવસેનાના મુખ્યપત્ર સામના માટે આજે એક લેખ લખ્યો છે. આ લેખમાં અખ્તરે કહ્યું છે કે દુનિયામાં સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુસંખ્યા હિન્દૂ છે. જણાવી દઈએ કે ગયા જાવેદ અખ્તરે તાલિબાનની તુલના દક્ષિણપંથી સમુહો આરએસએસ અને વીએચપી સાથે કરી હતી. જ્યાર બાદ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ જાવેદ અખ્તરે સામનામાં આ લેખ લખ્યો છે.
શું કહ્યું હતું જાવેદ અખ્તરે?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદના સંદર્ભમાં જાવેદ અખ્તરે ભાજપનું નામ લીધા વગર કહ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા આલોચક પણ તેમના પર કોઈ પણ ભેદભાવ અથવા અન્યાયનો આરોપ નથી લગાવી શકતા. જણાવી દઈએ કે ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નારાયણ રામેની તિરંગા યાત્રા બાદ દિવંગત શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેના અસ્થાયી સ્મારકનું શુદ્ધિકરણ શિવસેનાની તાલિબાની માનસિકતાને દર્શાવે છે.
આ લેખ બાદ જાવેદ અખ્તરને ખૂબ ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેમણે સામનામાં લખેલા લેખમાં કહ્યું કે, હાલમાં જ મેં પોતાના એક સાક્ષાત્કારમાં કહ્યું હતું કે આખી દુનિયામાં સૌથી સહિષ્ણુ હિન્દુ બહુસંખ્યક છે. મેં ઘણી વખત કહ્યું કે ભારત ક્યારેય અફગાનિસ્તાન ન બની શકે. કારણ કે ભારતીય સ્વભાવિક રૂપથી કટ્ટરપંથી નથી. ઉદાર હોવું તેમના ડીએનએમાં છે.