બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / javed akhtar article in saamana said india never become afghanistan know more
Arohi
Last Updated: 01:52 PM, 15 September 2021
ADVERTISEMENT
પ્રસિદ્ધ ફિલ્મ લેખત અને ગીતકાર જાવેદ અખ્તરે શિવસેનાના મુખ્યપત્ર સામના માટે આજે એક લેખ લખ્યો છે. આ લેખમાં અખ્તરે કહ્યું છે કે દુનિયામાં સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુસંખ્યા હિન્દૂ છે. જણાવી દઈએ કે ગયા જાવેદ અખ્તરે તાલિબાનની તુલના દક્ષિણપંથી સમુહો આરએસએસ અને વીએચપી સાથે કરી હતી. જ્યાર બાદ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ જાવેદ અખ્તરે સામનામાં આ લેખ લખ્યો છે.
ADVERTISEMENT
શું કહ્યું હતું જાવેદ અખ્તરે?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદના સંદર્ભમાં જાવેદ અખ્તરે ભાજપનું નામ લીધા વગર કહ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા આલોચક પણ તેમના પર કોઈ પણ ભેદભાવ અથવા અન્યાયનો આરોપ નથી લગાવી શકતા. જણાવી દઈએ કે ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નારાયણ રામેની તિરંગા યાત્રા બાદ દિવંગત શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેના અસ્થાયી સ્મારકનું શુદ્ધિકરણ શિવસેનાની તાલિબાની માનસિકતાને દર્શાવે છે.
આ લેખ બાદ જાવેદ અખ્તરને ખૂબ ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેમણે સામનામાં લખેલા લેખમાં કહ્યું કે, હાલમાં જ મેં પોતાના એક સાક્ષાત્કારમાં કહ્યું હતું કે આખી દુનિયામાં સૌથી સહિષ્ણુ હિન્દુ બહુસંખ્યક છે. મેં ઘણી વખત કહ્યું કે ભારત ક્યારેય અફગાનિસ્તાન ન બની શકે. કારણ કે ભારતીય સ્વભાવિક રૂપથી કટ્ટરપંથી નથી. ઉદાર હોવું તેમના ડીએનએમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.