અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ(AFES)ને ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ વચ્ચે સાબરમતી નદીમાંથી ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહ બુમરાહનો મૃતદેહ મળી આવ્યો છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર જસપ્રીત બુમરાહના 84 વર્ષીય દાદા સંતોક સિંહ બુમરાહ 8મી ડિસેમ્બરના રોજથી ગુમ છે.જસપ્રીતના દાદા સંતોક સિંહ બુમરાહની મિંસિગ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તે ઉત્તરાખંડમાં રહેનારા સંતોક સિંહ બુમરાહને 5 ડિસેમ્બરના જન્મદિવસની શુભકામના આપવા માટે અમદાવાદ આવ્યા હતા. 84 વર્ષની સંતોક સિંહની દિકરી રાજેન્દ્રર કૌર બુમરાહે પોલીસમાં મિસિંગ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ''તેમને વાત કરવા કે મળવા નહોતા દેવાયા. ત્યારપછી તે ઘરે પાછા નથી ફર્યા.''
પોલીસે જણાવ્યું કે સંતોક સિંહની દીકરી રજિન્દર કૌર બુમરાહે શુક્રવારે રાતે ફરિયાદ નોંધાવી છે. રજિન્દર કોર વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે રહે છે. તેમના સ્ટેટમેન્ટ અનુસાર સંતોક સિંહે જસપ્રીતની માતા દલજીત કૌર બુમરાહને શુક્રવારે બપોરે 1.5 વાગ્યાની આસપાસ બુમરાહને મળવા દેવાની વાત કરી હતી. પરંતુ તેમને મળવાની કે વાત કરવા દેવાની મંજૂરી નહોતી મળી. ત્યારપછી તે ગાયબ છે.
તમને જણાવી દઇએ કે જસપ્રીત બુમરાહ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયુ હતુ. તેના પિતા અને દાદાજી તે સમયમા સારા બિઝનેસમેન હતા પરંતુ જસપ્રીતના પિતાની મોત પછી સંતોક સિંહ એકલા પડી ગયા હતા તે કરાણથી તે બિઝનેસ બંધ કરીને હવે ઑટો ચલાવીને ગુજરાન કરી રહ્યા છે.