T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને લાગેલા એક તગડા ઝટકામાં ઈજાને કારણે ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને વર્લ્ડ કપમાંથી બહાર રખાયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે પુષ્ટિ કરી છે.
જસપ્રીત બૂમરાહ નહીં રમે T20 વર્લ્ડ કપ
ઈજાને કારણે આરામ અપાયો
BCCIની મેડિકલ ટીમે કરી પુષ્ટિ
પીઠની ઈજાથી છે પીડિત
16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા એક તગડો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી સંપૂર્ણ આરામ અપાયો છે. બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડીયાની જીતની આશા પર પાણી ફેરવી શકે છે. બૂમરાહ હાલમાં પીઠની ઈજાથી પરેશાન છે અને તેને આરામ જરુરી હોવાથી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. બૂમરાહને હાલમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરિઝમાંથી પણ આરામ અપાયો હતો અને હવે તેને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રખાયો છે.
બીસીસીઆઈની મેડિકલ ટીમે પણ બુમરાહને T20 વર્લ્ડ કપમાં આરામ અપાયો હોવાનું પુષ્ટ કર્યું છે. મેડિકલ ટીમે કહ્યું કે જસપ્રિત બુમરાહ આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. ટીમે કહ્યું કે વિસ્તૃત મૂલ્યાંકન અને એક્સપર્ટની સલાહને આધારે બુમરાહને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.
ટૂંક સમયમાં બુમરાહની બદલીના ક્રિકેટરનું નામ જાહેર કરાશે
મેડિકલ ટીમના કહેવાનુસાર, બુમહારને બદલે કોને લેવામાં આવશે તેનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે.
NEWS - Jasprit Bumrah ruled out of ICC Men’s T20 World Cup 2022.
16 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. 23મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ બનાવી લીધી છે. હવે સિરીઝની છેલ્લી મેચ એટલે કે ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં યોજાશે. આ પછી, ભારતીય ટીમ 5 ઓક્ટોબરે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા તરફ રવાના થશે.