ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બેક સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે T20 World Cupમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
જસપ્રીત બુમરાહ T20 World Cupમાંથી બહાર
બેક સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે પડતો મૂકાયો
શમી કે ચહરને લેવામાં આવી શકે
16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ રહ્યો છે ટી20 વર્લ્ડ કપ
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. બીસીસીઆઈનું સત્તાવાર નિવેદન હજુ સુધી આવ્યું નથી.
જસપ્રીત બુમરાહને થયેલી ઈજા ગંભીર, દોઢ મહિનાના આરામની જરુર
જસપ્રીત બુમરાહને થયેલી ઈજા ગંભીર છે અને તેથી તેને દોઢ મહિનાના આરામની જરુર છે તો જ તેને આરામ મળી શકે તેમ છે. જસપ્રિત બુમરાહ પીઠની સમસ્યાના કારણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ પણ રમી શક્યો નહતો.
Jasprit Bumrah out of T20 World Cup with back stress fracture: BCCI sources
ચહર અથવા શમીને મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે
મુખ્ય બોલર જ આઉટ થયો હોવાથી હવે ખરો સવાલ એ છે કે તેને બદલે કયા ખેલાડીને લેવામાં આવશે. હાલમાં દીપક ચહર અને અને મોહમ્મદ શમી સ્ટેન્ડબાય ખેલાડીઓનો હિસ્સો છે, તેથી તેમાંથી કોઈ એકને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આઈસીસીના નિયમ મુજબ 15 ઓક્ટોબર સુધી ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની મુખ્ય ટીમમાં ફેરફાર કરી શકે છે.