બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:36 PM, 11 January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડીયાને ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરિઝ રમવાની છે, તેની ટીમ પણ જાહેર થઈ નથી. આવતે અઠવાડિયે ઈંગ્લેન્ડ સામેની ટીમ ઈન્ડીયાનું એલાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 સીરિઝ અને પછી વનડે સીરિઝ શરુ થઈ રહી છે.
ADVERTISEMENT
India Squad For Champions Trophy And England ODIs Live Updates: No Place For Suryakumar Yadav? BCCI Sent Big Message
— Syed Ramis Ali (@ocaybunny) January 9, 2025
India's Squad Announcement For Champions Trophy and England ODIs, T20Is: Former Indian cricket team batter Aakash Chopra believes that Suryakumar Yadav will miss… pic.twitter.com/HOL3722Lki
કયા બે ખેલાડીને તક
ADVERTISEMENT
બુમરાહ અને સિરાજની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીને લેવામાં આવી શકે છે. અર્શદીપ સિંહ પેસ આક્રમણની આગેવાની સંભાળશે. વનડે માટે પણ બોલરની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત, જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી , જે 2023 ODI વર્લ્ડ કપથી ભારતીય ટીમની બહાર છે, તે T20I શ્રેણીને ચૂકી શકે છે, ત્યાં એક મજબૂત તક છે કે તેને ODI ટીમ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ કરવામાં આવે.
No chance for Jasprit Bumrah, Mohammed Siraj: Report makes big claim on India squad vs England in T20Is#INDvsENG #bumrah #Siraj https://t.co/42DBzj8nbw
— CricketNDTV (@CricketNDTV) January 11, 2025
18 અથવા 19 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર
જ્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીનું એલાન થયું છે ત્યારથી તેને કંઈને કંઈ વિઘ્ન નડી રહ્યું છે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરવાની ડેડલાઈન 12 જાન્યુઆરી હતી પરંતુ હજુ સુધી બીસીસીઆઈ ટીમ નક્કી કરી શકી નથી. હવે સામે આવ્યું છે કે બીસીસીઆઈએ ટીમ જાહેર કરવા માટે આઈસીસી પાસેથી વધુ સમયની માગણી કરી છે, એટલે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર થવામાં સમય લાગી શકે છે નિયત ડેડલાઈન પર જાહેર ન પણ થઈ શકે. હકીકતમાં છેલ્લા કેટલાય સમયથી ટીમ ઈન્ડીયામાં અનેક વિવાદો સામે આવી રહ્યાં છે, બીજીટીમાં પરાજય બાદ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યાં છે, કોઈએ ઠેકાણે ખેલાડીઓના ઝગડાના પણ મુદ્દા છે તે ઉપરાંત કયા ખેલાડીને લેવો અને કોને નહીં તેનો નિર્ણય પણ બીસીસીઆઈ કરી શકી નથી. સૂત્રોએ એવું કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત 18 અથવા 19 જાન્યુઆરીએ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT