ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે જણાવ્યું કે તે પોતાના બોલીંગ એક્શન પર મળતા અનેક પ્રકારના અભિપ્રાયને મહત્વ નથી આપતો કારણ કે તે જે પ્રકારે બોલીંગ કરી રહ્યાં છે તેનાથી તે સહજતા અનુભવે છે. વિશેષજ્ઞ જેવા કે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને લાગે છે કે પોતાની વિચિત્ર બોલીંગ એક્શનથી જ બુમરાહ ઇજાગ્રસ્ત થાય છે.
24 વર્ષીય બુમરાહે જણાવ્યું કે ''હું તેવાત પર ધ્યાન નથી આપતો કે વિશેષજ્ઞો શું કહે છે અને શઉં નહી. હું તે વાત પર ધ્યાન રાખુ છું કે શેનાથી મને મદદ મળે છે અને હું મારી ફિટનેસ પર ફોકસ કરૂ છું. ક્રિકેટમાં કોઇપણ પરફેક્ટ એક્શન નથી હોતી. મને એકપણ એવો બોલર બતાવો જે ઇજાગ્રસ્ત ન થયો હોય. હું તે બાબત પર વધુ ધ્યાન આપું છું કે હું મારુ ફિટનેસ લેવલ કેવી રીતે સુધારુ.''
ડેથ ઓવરના વિશેષજ્ઞ બોલરે કહ્યું કે ''સ્થિતિ જોયા વિના આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી.'' તેમણે કહ્યું કે ''ત્યાં હંમેશા બોલ બાઉન્સ થાય છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં હવે વધારે સ્કોરવાળી મેચ પણ થાય છે.''
બુમરાહે કહ્યું કે ''જ્યારે હું ઓસ્ટ્રેલિયા પહોંચી જઇશ તો હું વિકેટનું આકલન કરીશ. કારણ કે જો તમે કંઇક વિચારીને જાઓ અને તમને તેવું ફળ ન મળે તો તમારી પાસે કોઇ વિકલ્પ નથી રહેતો. હું ત્યાની સ્થિતી પ્રમાણે જ યોજના બનાવીશ.''