જસપ્રીત બૂમરાહ ઓસ્ટ્રેલીયા સામે પહેલા ટી20 મુકાબલામાં રમ્યા ન હતા પણ બીજા મુકાબલામાં તેઓ રમી શકે છે, એવી અટકળો લગાવાઈ રહી છે.
ઓસ્ટ્રેલીયા સામે બીજા ટી20 મુકાબલામાં રમી શકે છે બૂમરાહ
પહેલી મેચમાં બૂમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા
ઇજાને કારણે એશિયા કપમાં નહોતા રમ્યા જસપ્રીત બૂમરાહ
ઓસ્ટ્રેલીયા સામે બીજા ટી20 મુકાબલામાં રમી શકે છે બૂમરાહ
પીઠની ઇજાને કારણે એશિયા કપમાં ન રમનાર સ્ટાર ભારતીય બોલર જસપ્રીત બૂમરાહને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ ઉપરાંત, વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા સામે થનાર બે ડોમેસ્ટિક સીરિઝ માટે ભારતીય ટીમમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલીયા સામે મોહાલીમાં રમવામાં આવેલ પહેલી ટી20 મેચમાં બૂમરાહને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યા ન હતા. આનું પરિણામ ટીમને હાર સાથે ભોગવવું પડ્યું હતું. મેચમાં બૂમરાહની ખોટ વર્તાઇ હતી. જણાવવામાં આવ્યું હતું કે સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે મેચમાં તેમને સામેલ કરવામાં આવ્યા ન હતા. ટીમ મેનેજમેન્ટે કહ્યું હતું કે ફિટ થઈને પાછા ફરેલા બૂમરાહને અમે સીધા રમવા ન દઇ શકીએ. આ રિસ્ક અમે ન લઈ શકીએ. જસપ્રીત બૂમરાહને ઓસ્ટ્રેલીયા સામે સિરિઝની બીજી મેચમાં રમાડી શકાય છે.
ટીમ મેનેજમેન્ટ રિસ્ક લેવા માંગતુ ન હતું
BCCIનાં સૂત્રો અનુસાર, ટીમ મેનેજમેન્ટ બૂમરાહને લઈને જોઈ ઉતાવળ કરવા માંગતુ ન હતું. આ જ કારણ હતું કે મોહાલીમાં તેમને ટીમમાં જગ્યા મળી ન હતી. પરંતુ જ્યારે બૂમરાહે પ્રૅક્ટિસમાં પરસેવો વહાવ્યો છે, તો તેઓ સંપૂર્ણ રીતે એક્શનમાં જોવા મળે છે. જણાવી દઈએ કે બુધવારે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ કરી ન હતી, કેમકે આ દિવસે ટીમ મોહાલીથી નાગપુર પહોંચી હતી.
ઇજાને કારણે એશિયા કપમાં નહોતા રમ્યા જસપ્રીત બૂમરાહ
જો બીજી મેચ માટે ભારતીય પ્લેઈંગ 11માં બૂમરાહને સામેલ કરવામાં આવે છે, તો આ માટે ઉમેશ યાદવ અથવા હર્ષલ પટેલને આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ ભુવનેશ્વરને આરામ આપવા નહીં માંગે.