નવી દિલ્હીઃ ભારતમાં હુમલો કરવા માટે ફરીથી પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ સક્રિય બન્યા છે. પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગને મળેલી માહિતી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 6 આતંકીઓ ભારતમાં ઘુસ્યા છે. પંજાબ પોલીસની ઇન્ટેલિજંસ વિંગે આ માટે રાજ્યને ચેતવણી આપી છે.
ઇન્ટેલિજંસ ઇનપુટ મુજબ આતંકીઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ આતંકીઓ ફિરોઝપુર બોર્ડર પાસેથી ભારતમાં ઘુસ્યા હોવાની આશંકા છે ત્યારે બોર્ડર અને રાજ્યના ચેક પોસ્ટ અને ચેક પોઇન્ટ્સ પર સુરક્ષા વધારવા સુચન કરવામાં આવ્યું છે.
આ રીપોર્ટ પ્રમાણે ભારત પાકિસ્તાન બોર્ડર પર સેકન્ડ લાઈન ઓફ ડિફેન્સની સમીક્ષા કરીને તેને મજબુત કરવાની જરૂર છે. આ ઉપરાંત બએસએફ અને અન્ય પોલીસ વિભાગોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
મહત્વનું છે કે આ ગુપ્ત અહેલા ત્યારે આવ્યો છે. જ્યારે એક દિવસ પહેલા માધોપુર વિસ્તાર પાસે ચાલ લોકો બંદુકની અણીએ એક ટેક્સી ઝુંટવીને ફરાર થયા હતા. ત્યાર એવી આશંકાઓ સેવાઈ રહી છે કે આતંકીઓ પઠાણકોટની જેમ એરબેઝ પર હુમલો કરવાની ફીરાકમાં છે.