જસદણ ચૂંટણીમાં આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 15 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
તો જસદણ બેઠક પર બે લાખથી વધુ મતદાતા મતદાન કરશે. તો જસદણ પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બંને પક્ષો જીતનો પણ દાવો કરી રહ્યા છે.
બીજેપી અને કોંગ્રેસ એમ બંને રાજકીય પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠકમાં આઝાદીથી લઇને આજ સુધીમાં માત્ર એક જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ છે. આ વખતની પેટા ચૂંટણીમાં બંને મુખ્ય ઉમેદવાર કોળી છે ત્યારે કોણ જીતશે તેના ઉપર સૌની નજર છે.
બીજેપીના ઉમેદવાર કુંવરજી બાવળિયા છે તો કોંગ્રેસે નવા ચહેરાને તક આપતા અવસર નાકીયાને મેદાનમાં ઉતાર્યા છે.
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે. આ માટે કોંગ્રેસ ખાસ રણનીતિ પણ ઘડી છે.
આ ચૂંટણી પ્રચારમાં કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અર્જૂન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ અને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સભાઓ ગજવશે.