રાજકોટમાં જસદણની પેટા ચૂંટણી પહેલા આજે ભાજપનું સ્નેહમિલન મળશે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત મંત્રીઓ હાજર રહેશે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા માટે નેતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના બાગી સભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યો પક્ષપલટો કરે તેવી શક્યતા છે.બાવળીયા જૂથના કોળી સભ્યો પક્ષપલટો કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પાર્ટીઓ જીત માટેની તૈયારીઓ કરી રહી છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા છે તો કોંગ્રેસ હજુ પેનલ સેટ કરવામાં પડી છે.
રાજકોટની જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તમામ તૈયારીઓ કરી લીધી છે. તૈયારીના ભાગરૂપે 23 નવેમ્બરે રાજકોટમાં જિલ્લાના તમામ આગેવાનો સાથે એક બેઠક યોજાશે.
આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવાર પણ સ્થાનિક જ હશે અને સ્થાનિકોની પસંદગી પ્રમાણેનો ઉમેદવાર હશે.