આસામમાં શનિવારે જાપાનીઝ એન્સેફેલાઇટીસથી વધુ ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ આ મહિને આ બીમારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે.
આસામમાં જાપાનીઝ એન્સેફેલાઇટીસ અનેક કેસ સામે આવ્યા
શનિવારે જાપાનીઝ એન્સેફેલાઇટીસથી વધુ ચાર લોકોના મોત
આ મહિને આ રોગથી પીડિત લોકોની કુલ સંખ્યા 169 થઈ
આસામમાં શનિવારે જાપાનીઝ એન્સેફેલાઇટીસથી વધુ ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ આ મહિને આ બીમારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે. નેશનલ હેલ્થ કમિશન તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં શનિવારે નવ નવા કેસ નોંધાયા હતા, આ સાથે જ આ મહિને આ રોગથી પીડિત લોકોની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે.
ઘણા જીલ્લામાં કેસો નોંધાયા
કમિશનના જણાવ્યા અનુસાર, ચારેય મોત જોરહાટ જિલ્લામાં થયા છે. ગોલાઘાટ જિલ્લામાંથી ત્રણ, શિવસાગર અને સોનીતપુરમાંથી બે-બે અને ગોલપારા અને કોકરાઝાર જિલ્લામાંથી એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં શુક્રવારે ચાર મૃત્યુ અને 16 નવા જેઇ કેસ નોંધાયા હતા. તમામ જિલ્લાઓમાં એક્યુટ એન્સેફેલાઇટીસ સિન્ડ્રોમ અને જેઇ પર ડિસ્ટ્રિક્ટ રેપિડ એક્શન ફોર્સની રચના કરવામાં આવી છે.
હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે
એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ કમિશન, આસામ દ્વારા સૂચવવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓનું તમામ જિલ્લાઓમાં તપાસ, વ્યવસ્થાપન માટે પાલન કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને એઇએસ અને જેઇ કેસોની તપાસ, સંચાલન અને દર્દીઓ માટે યોગ્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે.
આસામમાં પૂરની સ્થિતિમાં સુધાર
આસામમાં શુક્રવારે પૂરની સ્થિતિમાં સુધારો થયો હતો પરંતુ હજુ પણ 2.10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુલેટિનમાં જણાવ્યું હતું કે કછાર જિલ્લામાં વધુ એક વ્યક્તિના મોતથી આ વર્ષે પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃતકોની સંખ્યા 194 થઈ ગઈ છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે તમામ નદીઓનું જળસ્તર ઓછું થઈ રહ્યું છે અને કોઈ પણ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી.