બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:22 PM, 11 September 2024
સામાન્ય રીતે કોઈ જંગલની બહાર બોર્ડ પર કોઈ જગ્યા પર કચરો ન ફેંકવાની અને જંગલી પ્રાણીઓથી સાવધાન રહેવાની વાતો લખી હોય પણ આ જંગલની બહાર ચેતવણી લખવામાં આવી છે. 'તમારા બાળકો અને પરિવાર વિશે વિચારો, તમારું જીવન તમારા માતા-પિતા દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય ભેટ છે..' કારણ કે આ જંગલમાં જતાંની સાથે જ લોકોને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગે છે..
ADVERTISEMENT
આ લીલુંછમ અને સુંદર દેખાતું જંગલ આખી દુનિયામાં ભયાનક વાર્તાઓ માટે જાણીતું છે અને વિશ્વના સૌથી લોકપ્રિય સુસાઇડ પ્લેસ એટલે કે આત્મહત્યા સ્થળોમાં બીજા સ્થાને છે. આ જંગલ જાપાનમાં આવેલું છે અને તેનું નામ છે ઓકીગહરા. એવું કહેવાય છે કે આ જંગલમાં જતાં કોઈ પણ વ્યક્તિ જીવતા પાછા ફર્યા નથી.
ADVERTISEMENT
આ સુસાઇડ ફોરેસ્ટ માઉન્ટ ફુજીની ઉત્તરપશ્ચિમમાં આવેલું છે અને 35 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ જંગલ એટલું ગાઢ છે કે તેને વૃક્ષોનો મહાસાગર પણ કહેવામાં આવે છે. આ જંગલમાં એટલું ગાઢ છે કે એક વખત તેની અંદર ગયા બાદ બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે.
જાપાની પૌરાણિક કથાઓ અનુસાર, મૃત લોકોની આત્માઓ આ જંગલમાં રહે છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, 2003 થી અત્યાર સુધી અહીં લગભગ 105 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી મોટા ભાગના ખરાબ રીતે સડી ગયા હતા, તો કેટલાકને પ્રાણીઓ દ્વારા ખાઈ ગયા હતા.
લોકોનું માનવું છે કે આ જંગલમાં આત્મહત્યાના કારણે ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટી થવા લાગી છે સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ ભૂત લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.