બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VIDEO: આ દેશમાં ફરજિયાત દિવસમાં એક વખત હસવું જરૂરી, નાગરિકો માટે લાગુ કર્યો નવો નિયમ
Last Updated: 12:41 PM, 17 July 2024
જીવનમાં ગમે તેટલું દુ:ખ કેમ ન હોય તમારે હંમેશા હસતું રહેવું જોઈએ પણ જો તમને હસવા માટે મજબૂર કરવામાં આવે તો તમે શું કરશો..? આવું જ કઇંક જાપાનમાં થયું છે અને ત્યાં એક વિચિત્ર નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાપાનના યામાગાટા રાજ્યમાં આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે ત્યાંનાં લોકોએ દિવસમાં એક વખત ફરજિયાતપણે હસવું પડશે..
ADVERTISEMENT
જ્યારથી આ ન્યૂઝ સામે આવ્યા છે ત્યારથી લોકોના મનમાં એક પ્રશ્ન એ છે એક આવો કાયદો કોણ બનાવે અને આ બનાવવા પાછળનું કારણ શું છે? તો આ નિયમ બનાવવા પાછળનું કારણ છે એક રિસર્ચ.. જે ત્યાંની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી.એ રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હસવાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થાય છે અને હૃદયની બીમારીઓ ઓછી થાય છે અને વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે.
ADVERTISEMENT
આ નવા કાયદા હેઠળ, લોકોએ દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવું પડશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે નોકરિયાત સ્થળોએ પણ હસી-ખુશી થી ભરેલું વાતાવરણ બનાવવું જોઈએ આ સાથે જ . દર મહિનાની 8મી તારીખે લાફ્ટર ડે પણ મનાવવામાં આવશે.
જો કે આ નવા કાયદાનો વિરોધ ત્યાંની વિપક્ષ પાર્ટીએ કર્યો છે અને એમનું કહેવું છે કે આ કાયદો મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવા જઈ રહ્યો છે.. હસવું કે ન હસવું એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને તેના પર કોઈ નિયમ ન હોય.
આ વાત પર સરકારે ચોખવટ કરી હતી કે આ કાયદો હસવા માટે લોકો પર પ્રેશર નથી બનાવી રહ્યો બસ એમને પ્રેરિત કરી રહ્યો છે અને દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે તે આ નિયમનું પાલન કરવા માંગે છે કે નહીં. જો કોઈ આખા દિવસમાં નથી હસવા માંગતુ તો આ નિયમ પ્રમાણે એમને કોઈ સજા નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT