માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ધીમુ રહેવા છતાં પણ જાન્યુઆરી-માર્ચ સુધીમાં આર્થિક વૃદ્ધિ્ દર 7.7 ટકા રહેવાની આશા નોમુરા સેવી રહી છે. જોકે આ પહેલા પણ ત્રિમાસિક વૃદ્ધિ દર 7.2 ટકા રહ્યો હતો. તેવું અનુમાન નોમુરા લગાવી રહી છે.નાણા સેવા પ્રદાન કરતી સંસ્થા નોમુરાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે માર્ચમાં મંદી રહેવા છતાં જાન્યુઆરી-માર્ચમાં સરેરાશ ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યું હતું.
જોકે ચોથા ત્રિમાસિકમાં 5.9 ટકાથી વધારે રહ્યો હતો. જ્યારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરેરાશ ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ પહેલા ત્રિમાસિક ઔદ્યોગિક ગતિવિધી મજબુત થઇ છે.તેમજ આ ત્રિમાસિકમાં GDPની વૃદ્ધિ આગલા વર્ષના આધાર પર 7.7 ટકા પર પહોંચી શકે છે. જ્યારે નોમુરાએ એ પણ જણાવ્યું છે કે દેશમાં રોકાણ અને માગનો માહોલ પણ સુધરશે.
ઉલ્લેખનીય છે કે નોમુરાએ પોતાની રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે દેશમાં રોકાણ અને વપરાશનો માહોલ સુધરશે.અને કારણે દેશમાં ક્રમીક સુધારો આવવાની સંભવના રહેલી છે.આ સાથે જ ફર્મના જણાવવા મુજબ કાચા તેલની કિંમતમાં વધારો અને કઠિન નાણાકિય સ્થિતીને ધ્યાને રાખીને વૃધ્ધિ દરમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.
જો કે નજીકના સમયગાળામાં વૃધ્ધિદરનું દ્રશ્ય જોઇને હજી અમે આશાવાદી છીએ.અને અમને આશા છે કે આર્થિક વૃધ્ધિને અસર પાડનારી ખરાબ નાણાકિય સ્થિતી અને કાચા તેલના ભાવની તેજી આગળ જઇને ઘટશે. આપને જણાવી દઇએ કે હાલ ત્રિમાસિકમાં GDPની વૃદ્ધિ આગલા વર્ષના આધાર પર 7.7 ટકા પર પહોંચી શકે છે. જ્યારે નોમુરાએ એ પણ જણાવ્યું છે કે દેશમાં રોકાણ અને માગનો માહોલ પણ સુધરશે. જો કે આવનારો સમય જ નક્કી કરશે કે માહોલ યથાવત રહે છે કે કોઇ સુધાર આવે છે.