મથુરાને ભગવાન શ્રીકૃષ્ણની નગરી માનવામાં આવે છે. આ તે નંગર છે જે નંદલાલનું જન્મસ્થળ બનીને ધન્ય થયું છે. અહીં એક એવું મંદિર બનેલું છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધા સંગ નહીં પરંતુ પોતાની પત્ની રૂક્મણી સાથે બિરાજમાન છે.
મથુરામાં સ્થિત દ્વારકાધીશ મંદિર ભારતનું સૌથી વિશાળ કૃષ્ણ મંદિર માનવામાં આવે છે. આ એક એવું અનોખું ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ પોતાની પત્ની રૂક્મણી સાથે બિરાજમાન છે.
માનવામાં આવે છે કે આ મંદિરમાં ઉપસ્થિત ભગવાન કૃષ્ણની પ્રાચીન મૂર્તિ લગભગ 250 વર્ષ પહેલા ગ્વાલિયરમાં ખોદકામ દરમિયાન સિંધિયા શાસનકાળના કોષાધ્યક્ષ ગોકુલ દાસ પારેખજીને મળી હતી. આ ખોદકામ દરમિયાન નાના દ્વારકાધીશજી પ્રગટ થયા હતા અને સાથે જ હરિહર નાથજીવી એક દુર્લભ મૂર્તિ પ્રગટ થઇ હતી.
કહેવાય છે કે આ મૂર્તિનું અડધું સ્વરૂપ ભગવાન વિષ્ણુની જેમ છે અને અડધું સ્વરૂપ શિવ શંકર જેવું છે. કહેવાય છે ભગવાન કૃષ્ણે સ્વયં ગોકુળ દાસજી સપનામાં આવીને આદેશ આપ્યો કે મારો જન્મ બ્રજ ભૂમિમાં થયો છે. આથી મારી મૂર્તિને તે ક્ષેત્રમાં સ્થાપિત કરીને મંદિર બનાવડાવો.
જણાવી દઇએ કે મથુરામાં ઉપસ્થિત દ્વારાકાધીશ મંદિરમાં કૃષ્ણના 8 સ્વરૂપની પૂજા થાય છે સાથે જ દિવસભરમાં 8 વખત કૃષ્ણજીના દર્શન માટે કપાટ ખૂલે છે. તેમાં દરેક વખતે દ્વારકાધીશજીના વસ્ત્રથી લઇને પૂજા પાઠ અને પ્રસાદ વધુ અલગ-અલગ હોય છે.
આ મંદિરમાં રૂક્મણીજીના દરેક દિવસે 8 અલગ-અલગ ઝાંખીથી શણગારવામાં આવે છે. આ ઝાંખીઓના 8 ભાવ હોય છે અને 8 વખતે મંદિરના કપાટ શ્રદ્ઘાળુઓ માટે ખુલે છે.
મંદિર પરિસરમાં ભગવાન શાલિગ્રામજી પણ બિરાજે છે તેની અરાધના કૃષ્ણજીની પૂજા શામેલ હોય છે. દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા પૂજાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મંદિરમાં શિખર પર લગાવતી ધજાનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવે છે.