આવતીકાલે કાન્હા જન્મોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ પાવન પર્વને લઈને દ્વારકા સહીત ગુજરાતના યાત્રાધામોને શણગારમાં આવ્યા છે.
શામળાજી મંદિરને અનેરી રોશનીનો શણગાર કરવામા
દ્વારકામાં સવારે 6 કાલકે મંગાળા આરતી
કૃષ્ણ જન્મને વધાવવા આતુર ભક્તોમાં ખુશી
આવતીકાલે 19 ઓગસ્ટે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે દ્વારકા અને શામળાજીમાં આ વર્ષે જન્માષ્ટમીના પર્વ પર મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે દ્વારકા અને શામળાજીમાં કૃષ્ણ જન્મને વધાવવા આતુર ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે. આથી દેશભેરમાં મંદિરોને શણગારવા સહીતના ઉજવણીની તડામાર તૈયારીઑને આખરીઑ ઑપ આપવામાં આવી રહ્યો છે.
શામળાજી મંદિરને અનેરી રોશનીનો શણગાર
જન્માષ્ટમી પર્વને લઈને શામળાજી મંદિરને અનેરી રોશનીનો શણગાર કરવામા આવ્યો છે. જેમાં સવારે 6 કલાકે મંદિરના દ્વાર ખુલશે અને પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારે બાદ શણગાર આરતી તેમજ સંધ્યા આરતી અને રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
દ્વારકામાં ભક્તિમય માહોલ
વધુમાં જન્માષ્ટમીના તહેવાર પર દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં સવારે 6 કાલકે મંગાળા આરતી સવારે આઠ કલાકે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અભિષેક તેમજ શૃંગાર ભોગ, શૃંગાર આરતી કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ કાર્યક્રમ અને રાત્રે 12 દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
યાત્રાધામ ડાકોર મંદિર પટાંગણને શણગારાયું
યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના અવસર પૂર્વે ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. જન્માષ્ટમીના પર્વની ડાકોરના આંગણે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે મંદિર પટાંગણને પણ શણગારવામાં આવ્યું છે.
અમદાવાદમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાશે
દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ છવાયો છે ત્યારે અમદાવાદના જીવરાજ પાર્ક જ્ઞાનદા સોસાયટીમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવશે. સોસાયટીમાં રહીશો દ્વારા ઘરમાં દરિયા થીમનું પારણું બનાવાયું છે.દરિયાથી મત્સ્યનું ભગવાનું પારણું બનાવ્યુ છે. મહત્વનું છે કે, આ સોસાયટીના રહીશો દ્વારા 46 વર્ષથી જન્માષ્ટમી પર્વની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે.