જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
શામળાજીમાં વહેલી સવારે મંગળા આરતી થઈ. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. મંદિરમાં ભક્તોએ કૃષ્ણ ધૂન બોલાવી. તો જય રણછોડ...માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠયું હતું. કાળીયા ઠાકોરને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો છે. પંચામૃતમાં ઘી દુધ દહીં માખણ સાકરને મિક્સ કરી અભિષેક કરાયો છે.
જયારે ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ પરિવાર સાથે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું. તેમજ દિવસ દરમ્યાન આ તહેવાર ને ભાવપૂર્વક ઉજવવામાં આવશે સાથે રાજકીય આગેવાનો એ પણ શામળાજી મંદિર માં શીશ જીકાવી ભગવાન ના દર્શન કર્યા હતા.