એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણના શરીર પર એમુક એવા નિશાન હતા જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારના નિશાન જો કોઈ વ્યક્તિના શરીર પર હોય તો તે દુનિયાનો સૌથી સુખી, સ્વસ્થ્ય અને સમૃદ્ધ વ્યક્તિ બની શકે છે.
તમારા શરીર પર છે આવા નિશાન?
આવા લોકો હોય છે ખૂબ જ લકી
ભગવાન કૃષ્ણના શરીર પર હતા આવા નિશાન
ભગવાન શ્રી કૃષ્ણએ દુનિયાને પ્રેમ અને કર્મનો પાઠ ભણાવ્યો છે. તેમણે ગીતાની રચના કરી હતી અને તેમના મુખમાં સંપૂર્ણ બ્રાહ્માંડ સમાઈ ગયું હતું. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણના શરીર પર અમુક એવા નિશાન હતા જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારના નિશાન જો કોઈ વ્યક્તિના શરીર પર હોય તો તે દુનિયાનો સૌથી સુખી, સ્વસ્થ્ય અને સમૃદ્ધ વ્યક્તિ બની શકે છે.
અર્ધ ચંદ્ર
એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણના પગના તળીએ અર્ધ ચંદ્રનું નિશાન હતું. તે અર્ધ ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર પણ છે. એવું કહેવાય છે કે જે લોકોના શરીર પર આ અર્ધ ચંદ્ર હોય છે તે કરિયરના મામલામાં ખૂબ પ્રગતિ કરી છે.
શંખ
શ્રી કૃષ્ણના પગના તળીએ શંખ જેવો પણ એક નિશાન હતો. ભગવાન વિષ્ણુના એક હાથમાં પણ શંખ હોય છે. જેની ધ્વનિથી અંતર્આત્મા અને ચેતના જાગૃત થાય છે. શરીર પર શંખ જેવું નિશાન જીવનમાં સફળતા અને સુખ-શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.
માછલી જેવું નિશાન
શ્રી કૃષ્ણના હાથ અને પગ પર માછલી જેવો નિશાન પણ હતો. હિંદુ ધર્મમાં માછલીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરીર પર આ નિશાન પ્રતિષ્ઠાનું પ્રતીક છે.
ત્રિભુજ
આજ રીતે જો કોઈ વ્યક્તિના પગ પર ત્રિભુજનું નિશાન હોય છે તો આવા લોકોની જીવનમાં રસપ્રદ લોકો સાથે મુલાકાત થાય છે. શરીર પર ત્રિભુજના આ નિશાનનો મતલબ છે કે આગળ ચાલીને તે વ્યક્તિ ખૂબ જ અમીર બનવાનો છે. આવા લોકો એક સારી વ્યક્તિ હોય છે અને જીવનમાં ખૂબ જ પ્રસિદ્ધિ કરે છે.
તીર-કામઠુ
પગ પર તીર-કામઠા જેવા નિશાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો જીવનમાં ખુબ સંઘર્ષ કરે છે અને જીત મેળવે છે. આ નિશાન જો શરીરના નિચલા ભાગમાં હોય તો આવા લોકો મોટી ઉપલબ્ધિ હાસિલ કરે છે.
હાથ પર તલ
જો કોઈ વ્યક્તિના હાથ પર તલ હોય તો એવી વ્યક્તિને સાધારણ સમજવાની ભૂલ ન કરો. આવા લોકો ખૂબ જ વધારે મહેનતી અને વિનમ્ર સ્વભાવના હોય છે. તેમનું દાંપત્ય જીવન પણ ખૂબ જ સુખમાં હોય છે.
બગલમાં તલ
જો કોઈ વ્યક્તિના ડાબા હાથના બગલમાં તલ હોય તો આવા લોકો જીવનમાં મોટી પ્રસિદ્ધિ હાસિલ કરે છે. પરંતુ ખૂબ સંધર્ષ બાદ. ત્યાં જ જમણા હાથની બગલમાં તલ અથવા મસાનો મતલબ છે કે તે વ્યક્તિને ખૂબ સંભાળીને રહેવાની જરૂર છે.
કાન પર તલ
જે લોકોના કાન પર તલ હોય છે તેમને ખૂબ જ લકી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકોના કાન પર તલ હોય છે તેમને જીવનમાં વગર કોઈ સંઘર્ષે જ બધુ મળી જાય છે.