જન્માષ્ટમીના દિવસે એટલે કે આજે જો તમે લાલાને આ 5માંથી કોઈ પણ 1 ચીજ લાવીને ચઢાવો છો તો તમે તેમની કૃપાને પાત્ર બનો છો. તો આજથી જ કરી લો તૈયારી.
જન્માષ્ટમીએ કરી લો આ કામ
લાલાને ચઢાવો 5માંથી કોઈ પણ 1 ચીજ
ખૂલી જશે તમારી કિસ્મતના દ્વાર
જન્માષ્ટમીના દિવસે એટલે કે કાન્હાના જન્મદિવસે લોકો તેમને ખુશ કરવાના અનેક પ્રયાસ કરે છે. આ સાથે તેઓ પૂજા, અર્ચના, વ્રત અને ઉપવાસની સાથે ભજન કીર્તન કરે છે. સાથે આ અવસરે મંદિર અને ઘરની ઝાંકી અને દહીં હાંડી ફોડવાની સાથે અનેક કાર્યક્રમો યોજાય છે. જો તમે પણ આ કામની સાથે અહીં આપેલા કેટલાક ઉપાયો કરી લો છો તો તમારું ભાગ્ય ચમકી શકે છે. તો જાણો જન્માષ્ટમીના દિવસે કયા ઉપાયો કરવા જરૂરી છે.
ચાંદીની વાંસળી અર્પણ કરો
કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજા અર્ચના, ભોગ અને કીર્તન જેવા કાર્યક્રમની સાથે તમે કાન્હાને ચાંદીની વાંસળી અર્પણ કરો. આમ કરવાથી તમે કાન્હાની વિશેષ કૃપા મેળવી શકો છો. તેના માટે તમારે સામર્થ્યના અનુસાર નાની કે મોટી વાંસળી બનાવડાવી લેવી. તેને કાન્હાના ચરણોમાં અર્પણ કરી લેવી. જન્માષ્ટમીના દિવસે તેને કાન્હાના ચરણોમાં રાખીને બીજા દિવસે પર્સમાં રાખવી અથવા તો ધનના સ્થાને રાખી શકાય છે.
56 ભોગ ચઢાવો
ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના અવસરે કાન્હાની પૂજા અર્ચના કર્યા બાદ તમે તેમને 56 ભોગ ચઢાવી શકો છો. તેનાથી કાન્હાજી પ્રસન્ન થાય છે. સાથે ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે.
પારિજાતના ફૂલ ચઢાવો
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને પારિજાતના ફૂલ ચઢાવવાથી તેમની કૃપા ભક્તો પર બની રહે છે. કહેવાય છે કે શ્રીવિષ્ણુ અને લક્ષ્મીને પારિજાતના ફૂલ ખૂબ જ પસંદ ચે. આ માટે જન્માષ્ટમીના દિવસે આ ખાસ ફૂલનો ઉપયોગ કરવો લાભદાયી રહે છે.
શંખમાં દૂધ લઈને કરો અભિષેક
માન્યતા અનુસાર વિષ્ણુને શંખ પ્રિય હોય છે અને તેમના હાથમાં તે હંમેશા રહે છે. આ માટે આ દિવસે શ્રીકૃષ્ણના જન્મ સમયે જો તેમાં દૂધ ઉમેરીને અભિષેક કરાય છે તો ભગવાન ખુશ થાય છે. આમ કરનારા ભક્તો પર ભગવાનની વિશેષ કૃપા રહે છે.
મોરપંખ પણ અર્પિત કરો
કાન્હાની વિશેષ કૃપા મેળવવા માટે જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણને મોરપંખ અર્પિત કરો. આ દિવસે શ્રીકૃષ્ણના મગુટ પર મોરપંખ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા બનાવી રાખે છે.