આજે કૃષ્ણ જન્માષ્ટમીએ દ્વાપર યુગ જેવો સંયોગ બની રહ્યો છે. આજે કૃષ્ણ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તો જાણો કઈ 10 ભૂલો ટાળવી.
આજે બની રહ્યો છે ખાસ સંયોગ
જન્માષ્ટમીએ દ્વાપર યુગ જેવો સંયોગ બનશે
કાન્હાની પૂજામાં ન કરશો આ 10 ભૂલો
કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે ભક્તોની અનેક મનોકામનાઓ પૂરી થાય છે. જો કે આ દિવસે ખાસ વાતનું ધ્યાન રાખવાનું જરૂરી હોય છે અને કેટલાક નિયમોનું પાલન પણ કડકાઈથી કરાય તે જરૂરી છે.
જાણો આજે શું કરવું અને શું નહીં
ભગવાન શ્રી હરિની પીઠના દર્શન આજે ન કરવા. કેમકે આપણા પુણ્યનો પ્રભાવ આમ કરવાથી ઘટી જાય છે અને અધર્મ વધે છે. શ્રી કૃષ્ણની પીઠ જોવાથી માણસના પુણ્ય ઘટી જાય છે. આ માટે પૌરાણિક કથા પણ છે કે ભગવાન કૃષ્ણના મુખની તરફથી દર્શન કરવા જ યોગ્ય છે.
જે લોકો આજે વ્રત રાખે છે તેઓએ રાતે 12 વાગ્યા પહેલા પોતાનું વ્રત ખોલવું નહીં. નક્કી સમય પહેલા વ્રત ખોલવાથી તમારી ઉપાસના અધૂરી રહી જાય છે અને સાથે વ્યક્તિને તેનું પૂરું ફળ મળતું નથી.
આજના દિવસે ભૂલથી પણ તુલસીના પાન તોડવા નહીં. ભગવાન વિષ્ણુને શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે, માન્યતા અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. આ દિવસે તુલસીના પાન તોડવાનું શુભ માનવામાં આવતું નથી.
ભગવાન કૃષ્ણના જન્મ દિવસે લસણ, ડુંગળી કે અન્ય તામસિક ભોજન કરવા નહીં. આ દિવસે ઘરમાં માંસ અને શરાબને પ્રવેશ આપવો નહીં.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગાય પર અત્યાચાર ન કરો. ભગવાન કૃષ્ણને ગાયથી ખૂબ પ્રેમ રહ્યો છે. કાન્હાનું બાળપણ ગાય સાથે રમીને વીત્યું છે. માન્યતા છે કે જે પણ ગાયની પૂજા કરે છે તેમને કૃષ્ણના આર્શીવાદ અચૂક મળે છે.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ કોઈનો અનાદર ન કરવો. ભગવાન કૃષ્ણ માટે અમીર કે ગરીબ દરેક ભક્ત એકસમાન છે. કોઈ પણ ગરીબનું અપમાન કરવાથી શ્રીકૃષ્ણ નાખુશ થાય છે.
જન્માષ્ટમીના દિવસે ઝાડને કાપવાનું અશુભ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ દરેક વસ્તુમાં વસે છે અને દરેક ચીજ તેમનામાં. શક્ય હોય તો આજે વધારે ને વધારે ઝાડ વાવો. તેનાથી ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાથે આખો દિવસ પવિત્ર મનથી ભગવાનની પૂજા અર્ચના કરવી યોગ્ય છે.