માતા યશોદાએ 8 પહોરના આધારે 7 દિવસનું જમવાનું એટલે કે 56 પ્રકારના વ્યંજન બનાવ્યા અને ભગવાનને ભોગ ધરાવ્યો. આ કારણે આ દિવસે 56 પકવાન ધરાવવામાં આવે છે.
જન્માષ્ટમીના તહેવારે શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે. મંદિરોમાં સાજ સજાવટ, ઝાંખી અને સૌની સાથે પંજરી અને 56 ભોગનો પ્રસાદ. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. આરાધ્ય દેવ શ્રીકૃષ્ણને આ પ્રકારનો પ્રસાદ ધરાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે.
માનવામાં આવે છે કે 56 ભોગ ચઢાવવાથી ભગવાન ખુશ થાય છે. જ્યારે તે માતા યશોદા સાથે રહેતા હતા ત્યારે તેઓ કુલ 8 વખત ભોજન કરતાં અને તે પણ મા યશોદાના હાથથી. એટલે જ આજે પણ મંદિરોમાં 8 સમાની સેવા કરવામાં આવે છે અને ઘરે પણ અનેક લોકો ભગવાનને 8 પહોરની સેવા કરવાની રીત ફોલો કરી રહ્યા છે. જો કંઈ શક્ય ન હોય તો ભગવાનને મીસરી ધરાવવામાં આવે છે અને તેમની પાણીની ઝારી બદલી દેવામાં આવે છે.
એક વખત ઈંદ્રદેવે ગોકુલ પર વરસાદ વરસાવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સતત સાત દિવસ સુધી કંઈ પણ ખાધા વિના ગોવર્ધન પર્વતને એક આંગળી પર ઉઠાવીને ઉભા રહ્યા. જ્યારે વરસાદ શાંત થયો ત્યારે ગોકુલવાસીઓ પર્વત નીચેથી બહાર નીકળ્યા. કાનૂડાએ 7 દિવસ કંઈ પણ ખાધઆ પીધા વિના ગામલોકોની રક્ષા કરી અને સાથે તે દિવસે માતા યશોદાએ 8 પહોરના આધારે 7 દિવસનું જમવાનું એટલે કે 56 પ્રકારના વ્યંજન બનાવ્યા અને ભગવાનને ભોગ ધરાવ્યો. આ કારણે આ દિવસે 56 પકવાન ધરાવવામાં આવે છે.
56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી, પૂરી, ગળ્યો ભાત, દાળ, બટાકાનું શાક, પાપડ, દહીં, કઢી, ઘેવર, ચિલ્લા, રીંગણનું શાક વગેરે મુખ્ય હોય છે.