કહેવાય છે કે ભક્તનો અવાજ સાંભળીને ભગવાન તરત દોડી આવે છે. ભક્તિ એવો માર્ગ છે જે પ્રભુને ભક્તની પાસે આવવા માટે વિવશ કરી દે છે. પછી પ્રભુ ભક્તની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આજ રીતે પૌરાણિક ઘટનાઓ છે જે દર્શાવે છે કે ભક્તની ભક્તિથી ખુશ થઇને પ્રભુ તેના કહેવા પર ઉભા પર રહી જાય છે. આ જન્માષ્ટમી પર જાણો કનૈયા સાથે જોડાયેલી અનોખી વાત..
મહારાષ્ટ્રમાં કનૈયાનું એક એવું મંદિર છે જ્યાં ભગવાન પત્ની રૂક્ષ્મણીની સાથે ઉભા છે. બંનેએ કમર પર હાથ રાખીને ભગવાન ઉભા છે આવું કનૈયાએ પોતાના ભક્તા કહેવા પર કર્યું હતુ.
કનૈયાના એક પુંણ્ડરીક નામના ભક્ત હતો. તેઓ કૃષ્ણ ભક્તિમાં લીન રહેવાની સાથે સાથે માતા-પિતાની સેવા પણ કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે રૂક્ષ્મણી સાથે તેમને દર્શન આપવા પહોંચ્યા હતા તે સમયે પુંણ્ડરીક પિતાના પગ દબાવી રહ્યા હતા.
પિતાજીની ઉંઘમાં ખલેલ ના પડે માટે પુંણ્ડરીકે માથું ઉઠાવીને પણ ના જોયું અને ઇંટ તરફ ઇશારો કરીને ધીમા અવાજે કહ્યુ કે શાંત ભાવમાં આ ઇંટ પર ઉભા રહો અને મારી રાહ જુઓ. મારા પિતાજી સૂઇ ગયા છે. પિતા પ્રત્યે પુંણ્ડરીકનો સેવા ભાવ જોઇને ભગવાન આનંદિત થયા અને ઇંટને આસાન બનાવી કમર પર હાથ રાખીને ઉભા રહી ગયા.
પિતાની સેવા કરી રહેલા પુંણ્ડરીક અચાનક યાદ આવ્યુ કે કોઇએ તેને સાદ પાડ્યો હતો અને તો પુંણ્ડરીકે ધીમેથી ઉઠીને જોયુ કે તેને મળવા માટે બીજુ કોઇ નહીં પણ ભગવાન આવ્યા છે. પુંણ્ડરીકે ભગવાનને હંમેશા માટે આ સ્થાન પર બિરાજમાન થવા પર વિનંતિ કરી ત્યારથી ભગવાન કૃષ્ણ ત્યાં જ કમર પર હાથ રાખીને ઉભા છે.
મહારાષ્ટ્રના શોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદીના તટ પર પંઢરપુર મંદિર આવેલું છે અહીં શ્રીકૃષ્ણની પૂજા વિઠ્ઠલ ભગવાનના રૂપમાં કરવામાં આવે છે. આ મંદિર ભગવાન વિઠ્ઠલની સાથે રૂક્ષ્મણી છે.
ભગવાન વિઠ્ઠલને વિઠ્ઠોબા શ્રીપુંડરીનાથ અને પાંડુંરંગના નામે ઓળખવામાં આવે છે. માન્યતા એવી છે કે અહીંનું મુખ્ય મંદિર 12મી શતાબ્દિમાં દેવગિરી યાદવ શાસકોએ બનાવ્યું હતુ.