જો તમને તમારા પાર્ટનર સાથે મોટાભાગે કોઇ વાતને લઇને વિવાદ થઇ જાય છે. જેના કારણે તમારા બંને વચ્ચે તણાવ અવિશ્વાસ અને પ્રેમમાં ખોટ આવવા લાગે છે તો આ જન્માષ્ટમી રાધા-કૃષ્ણાથી જોડાયલે એક ઉપાય તમારી તમામ પરેશાનીઓ ખતમ કરીને તમારો પ્રેમ પાછો લાવવામાં તમારી મદદ કરી શકે છે.
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે કોઇ પણ કપલને પોતાના બેડરૂમમાં ભગવાનનો ફોટો લગાવવો જોઇએ નહીં. પરંતુ જે પરણિત દંપતીઓ વચ્ચે તણાવ રહે છે એ લોકોએ પોતાના બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો જરૂરથી લગાવો જોઇએ. જે દંપતી સંતાન સુખ મેળવવા ઇચ્છે છે એ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ દર્શાવતા ફોટાને બેડરૂમમાં લગાવો.
રાધા-કૃષ્ણને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પતિ-પત્નીએ બેડરૂમમાં માથા પાસેની દિવાલ પર રાધા-કૃષ્ણનો ફોટો લગાવવો જોઇએ. જણાવીએ કે આ ફોટો લાલ રંગની ફ્રેમમાં બનેલો હોય તો પરિણામ જલ્દી અને સારું મળે છે.
પતિ-પત્ની જો સવાર સાંજ રાધા-કૃષ્ણનો ફોટાના દર્શન કરશે તો એમનો માનસિક તણાવ ઓછો થશે. સાથે જ આપસમાં પ્રેમ અને વિશ્વાસ વધશે.
રાધા-કૃષ્ણનો ફોટો એવી જગ્યાએ લગાવો જ્યાં સવાર-સાંજ તમારી નજર એની પર પડેલી રહે. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો કે જે રાધા-કૃષ્ણનો ફોટો તમે લગાવો છો બેડરૂમમાં એમાં રાધા-કૃષણ ઉપરાંત અન્ય ગોપીઓના ફોટા ના હોય.