કેન્દ્રની મોદી સરકાર જનધન ખાતાધારકોને જીવન વીમા અને દુર્ઘટના કવર આપવાની સક્રિય વિચારણા કરી રહી છે.
મોટી ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર
43 કરોડ ખાતાધારકોને મળશે લાભ
જનધન ખાતાધારકોને જીવન વીમા અને દુર્ઘટના કવર મળશે
નાણામંત્રાલયે નિવેદન બહાર પાડીને જાણ કરી
બેન્કોને આ અંગે સૂચના આપી દેવાઈ છે-નાણા મંત્રાલય
43 કરોડ જનધન ખાતાધારકોને ફાયદો
નાણામંત્રાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એવું જણાવાયું કે આ અંગે બેન્કોને પહેલેથી જાણ કરી દેવાઈ છે. સરકારના આ પગલાંથી 43 કરોડ જનધન ખાતાધારકોને ફાયદો મળવાની આશા છે.
342 રૂપિયો પ્રીમિયમ: પ્રમુખ જીવન જ્યોતિ (પીએમજેજેબી) વર્ષાના 330 રૂપે કા પ્રીમિયમ ડેના હતા. વહી, પ્રધાનમંત્રી સુરક્ષા સુરક્ષા (પીએમએસબીવાઈ) યોજના આકસ્મિક જોખમ આ યોજના આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા માટે 2 લાખ રૂપિયા છે. વધુમાં આંશિક વિકલાંગતા માટે 1 લાખ રૂપિયામાં જોડાયેલા છે. તેના માટે વર્ષ 12 રૂપિયા કા પ્રીમિયમ આપવાનું હતું. કહેવાનો અર્થ એ છે કે 342 રૂપિયાનો ખર્ચ જન-ધન ખાતાધારકોનો 4 લાખ રુપિયા સુધી પહોંચે છે.
43 કરોડથી વધારે ખાતાધારક
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેન્ક ખાતાધારકોની સંખ્યા વધીને 43 કરોડ થઈ છે. આ ખાતામાં કુલ જમા રકમનો આંકડો 1.46 લાખ કરોડને પાર પહોંચ્યો છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2014 ના દિવસે આ યોજના લોન્ચ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ થયાને આજે 7 વર્ષ પુરા થયા છે. યોજનામાં વીમા સહિતની બીજી સુવિધાઓ આપવાની સરકારની વિચારણા છે.
10 હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે
જો તમારા જનધન બેન્ક ખાતામાં ઝીરો બેલેન્શ હોય તો પણ તમે 10 હજાર રુપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. પહેલા 5 હજાર રુપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હતી પરંતુ હવે તેને વધારીને 10 હજાર કરાઈ છે. 65 વર્ષની વય સુધીના લોકો 10 હજાર રુપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લઈ શકે છે. 6 મહિનાના સંતોષજનક સંચાલન બાદ આ એકાઉન્ટમાં 10 હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. તો શરતો વગર 2 હજાર રુપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.