જનધન ખાતા ધારકો (Jan Dhan Accountholder) માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)ને લઈને એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જેનાથી કરોડો લોકોને ફાયદો થશે.
જનધન ખાતા ધારકો માટે ખુશખબરી
સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
જેનાથી કરોડો લોકોને થશે ફાયદો
જનધન ખાતા ધારકો માટે સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયને લઈને હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસ, સેબી અને RBIની વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકારનો પ્લાન નવી સ્કીમ દ્વારા સામાન્ય જનતાને રોકાણ સાથે જોડવાનો છે.
રોકાણકારોને મળશે ફાયદો
સરકારના આ નિર્ણયથી રોકાણકારોને મોટો ફાયદો થશે. આ સાથે રોકાણ માટે પ્રોત્સાહન પણ મળશે. આવનારા સમયમાં સરકાર જનધન ખાતાધારકોને રોકાણ કરવા માટે પ્રેરિત કરશે.
47 કરોડ ગ્રાહકોએ ખોલાવ્યું છે આ ખાતું
પીએમ જન ધન યોજનાના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં સરકારે 47 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા છે. આ ખાતાઓમાં લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા જમા છે. તમને જણાવી દઈએ કે સરકાર આ પૈસાને નાણાકીય સંપત્તિ સાથે જોડવા માંગે છે.
બીજા ચરણ પર ફોકસ કરી રહી છે સરકાર
પ્રધાનમંત્રી જન ધન યોજનાના બીજા તબક્કામાં સરકારનું ધ્યાન બેંક ખાતાધારકોને નાણાકીય સંપત્તિ સાથે જોડવા પર રહેશે. આ સ્કીમ બેંકથી અલગ હશે. હાલમાં આ યોજના માટે સેબી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.
જનધન ખાતા ધારક
જનધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. દેશના કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે.
કઈ રીતે ખોલાવી શકાય છે ખાતુ?
આ સરકારી યોજના કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં બેંકિંગ સુવિધાઓ વિકસાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સિવાય તમે કોઈપણ બેંકમાં આ ખાતું ખોલાવી શકો છો.
આ ખાતું ખોલવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જઈને ફોર્મ સબમિટ કરવું પડશે. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવનાર વ્યક્તિની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.