આ સ્કીમ એનઅર્ગનાઈઝ્ડ સેક્ટરના શ્રમિકો માટે છે. જેમાં મજૂરથી લઈને મેડ, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન અને સ્વીપર અથવા આ પ્રકારના દરેક વર્કર્સને ફાયદો થશે.
ગરીબોને મળશે પેન્શન
મહિને 3000નું પેન્શન
જાણો મોદી સરકારની સ્કીમ વિશે
અનઓર્ગનાઈઝ્ડ સેક્ટરમાં ઓછી ઈનકમ વાળા લોકોને રિટાયરમેન્ટ બાદ પેન્શનની સુવિધા માટે મોદી સરકારની વધુ એક ખાસ સ્કીમ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. તે એક વોલેન્ટરી અને કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ છે. લેબર મિનિસ્ટ્રી અનુસાર, આ સ્કીમ દ્વારા અત્યાર સુધી 45 લાખથી વધારે લોકો જોડાઈ ચુક્યા છે. લેબર મિનિસ્ટ્રી અનુસાર, આસ્કીમ દ્વારા અત્યાર સુધી 45 લાખથી વધારે લોકો જોડાઈ ચુક્યા છે. 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના ઘણા ભારતીય આ સ્કીમના ફાયદા ઉઠાવી શકે છે. તેમાં 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિને આજીવન 3000 રૂપિયા પેન્શન મળતું રહેશે. આ સ્કીમની એક ખાસ વાત એ છે કે જન ધન એકાઉન્ટ હોલ્ડર (Jan Dhan Accountholder) પણ આ સ્કીમ હેઠળ અંતર્ગત પેન્શનના હકદાર બની શકે છે.
કોને મળશે સ્કીમનો લાભ
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અનઓર્ગનાઈઝ્ડ સેક્ટરના શ્રમિકો માટે છે. જેનાથી મજૂરથી લઈને મેડ, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન અને સ્વીપર અથવા આ પ્રકારના દરેક વર્કર્સને ફાયદો મળશે. તેમની મંથલી ઈનકમ 15 હજાર રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયા વર્ષનું પેન્શન મળશે. જેનું ઈપીએફઓ, એનપીએસ અથવા ઈએસઆઈસીના મેમ્બર છે. તે આ સ્કીમનો લાભ નથી લઈ શકતા. તેમના માટે જો કોઈ ઈનકમ ટેક્સ આપે છે તો પણ તે આ યોજના માટે યોગ્ય નથી.
કેટલું કરવું પડશે રોકાણ
સ્કીમ અનુસાર જો કોઈ પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષ છે તો તેને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો કોઈ 29 વર્ષનું છે તો તેને યોજનામાં પેન્શન મેળવવા માટે 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 100 રૂપિયા જમા કરવાના રહેશે. જો કોઈ કર્મચારી 40 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાય છે તો તેને દર મહિને 200 રૂપિયા સુધી કોન્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. તેમાં એક ખાસ વાત એ છે કે જેટલું કોન્ટ્રીબ્યુશન એકાઉન્ટ હોલ્ડરનું હશે. સરકાર પણ પોતાની તરફથી તેટલું જ કોન્ટ્રીબ્યુશન કરશે. આ સ્કીમ નાણાકીય વર્ષ 2018-19થી લાગુ છે અને અત્યાર સુધી તેમાંથી 45 લાખથી વધારે લોકો જોડાઈ ચુકે છે.
ફક્ત આ ડોક્યુમેન્ટની જરૂર
પીએમ શ્રમ યોગી માનધન યોદજના માટે ફક્ત બે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ અને સેવિંગ્સ એકાઉન્ટ/ જનધન એકાઉન્ટ (IFSC કોડની સાથે)ની જરૂર પડે છે. એટલે કે જો તમારૂ જનધન ખાતું છે તો પણ તમે સ્કીમ સાથે જોડાઈ શકો છો. તેમાં તમારે અલગથી સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. આ ઉપરાંત તમારે પોતાનો મોબાઈલ નંબર પણ દાખલ કરવાનો રહેશે.