આજે જનઔષદ્યી દિવસ નિમિત્તે PM મોદીએ 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ ત્યારે અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપ્યું હતુ.
જન ઔષધી કાર્યક્રમમાં DyCMનું નિવેદન આપ્યું હતુ કે, અમારી સરકારે તમામ લોકોને સેવાને લાભ આપ્યો છે. કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહ્યું છે. અમે કોઈ ધર્મ પર પક્ષપાત કરતા નથી. અરે "ખાવાનું દેશનું અને ગાવાનું પાકિસ્તાનનું એ ક્યારેય નહિ ચલાવાય". ભારત તમામનો દેશ છે.
7મી માર્ચ રવિવારે જન ઔષધિ દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી માર્ચ રવિવારે જન ઔષધિ દિવસ નિમિત્તે શિલોંગમાં 7500મું જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે લોકોને રૂપિયાની તંગીમાં દવાઓ ખરીદવા માટે મુશ્કેલીઓ ન પડે, એટલા માટે જનઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી. લાભાર્થીઓ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ જનઔષધિ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્ય માટે લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.