જામનગરના ધ્રોલમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને રેકોર્ડ રચ્યો છે. ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓ પાસેથી દીકરીઓએ ખાસ તાલીમ મેળવી હતી. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ આયોજિત કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે મહાસંગ્રામ ખેલાયો હતો. કાઠીયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુધ્ધ પૈકીનું એક ભૂચર મોરીનું યુધ્ધ હતું. વિક્રમ સંવત 1648માં આ મહાયુદ્ધ થયું હતું. શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝ્ઝફર શાહ (ત્રીજા)ને બચાવવા જામનગરમાં જામ શ્રી સતાજીએ દિલ્હીના બાદશાહ અકબર સામે આ મહાસંગ્રામ ખેલ્યો હતો.
શું છે ભૂચર મોરી રણમેદાનનો ઇતિહાસ
વિક્રમ સંવત 1648માં ખેલાયું હતું ભયંકર યુદ્ધ
ગુજરાતના અંતિમ બાદશાહ પાસેથી અકબર શાહે ગુજરાત જીત્યું હતું
મુઝ્ઝફર શાહ ત્રીજા પાસેથી દિલ્લીના શાસક અકબરે છીનવી હતી સત્તા
મુઝ્ઝફર શાહ અમદાવાદથી ભાગી જામનગર આવ્યો
નવાનગરના રાજા સતાજીએ આપ્યો આશરો
અકબર શાહએ મુઝ્ઝફર શાહ સુધી પહોંચવા જામનગર પર આક્રમણ કર્યું
ધ્રોલના ભૂચર મોરી મેદાનમાં ખેલાયું હતુ ભીષણ યુદ્ધ
રાજા સતાજીના રાજકુમાર અજાજી, વજીર સહિત અનેક શહીદ થયા