જામનગર: શહેરમાં દિગ્વીજય પ્લોટનાં શેરી નંબર 7માં રિધ્ધી સિધ્ધી બંગલામાં તસ્કરો લૂંટ કરીને ફરાર થઇ ગયા છે. તસ્કરોએ વૃદ્ધા પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
જો કે આ ઘટનાની જાણ થતાં એસ.પી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ત્યારે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
તસ્કરોએ વૃદ્ધાને મોઢે ડુબો દઇ તેઓ ખુ્લ્લેઆમ સોના-ચાંદીનાં દાગીના સહિત રોડ રકમની લૂંટ ચલાવી હતી. જયંતિભાઇ કનખરાનાં બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
જો કે આ ઘટનાની જાણ થતાં આજુબાજુનાં લોકો તેઓનાં ઘરે આવી પહોચ્યા હતાં. તેમજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરશે.