ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા 24 કલાકમાં કંકાસ અને ઝઘડાની 4 ઘટના સામે આવી છે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મના ગુનાઓ વધ્યા
જામનગર જામજોધપુરના સડોદર ગામનો બનાવ
પેટ્રોલ છાંટી પત્ની- પુત્રને જીવતા સળગાવી દીધા
બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા
છેલ્લા 24 કલાકમાં કંકાસ અને ઝઘડાની 4 ઘટના સામે આવી છે, જામજોધપુરમાં પતિએ પત્ની અને દીકરાને આગચાંપી કરી જેમાં બંને ગંભીર રીતે દાંઝતા સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે સુરતમાં કાકાએ બે ભત્રીજાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ વડોદરામાં માતા-દીકરીનું શંકાસ્પદ મૃત્યુ થતા તબીબો પણ મૂજવણમાં મુકાયા છે. જ્યારે આજે દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની 3 મહિલાનો સામૂહિક આપઘાતની ઘટનાથી હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો
ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે, આજે દ્વારકામાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લીધા બાદ જામનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જામનગરના જામજોધપુરના સડોદર ગામે પતિએ ઓરડીમાં પેટ્રોલ છાંટીને પત્ની અને પુત્રને જીવના સળગાવી દીતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે, જો કે પત્ની અને પુત્રની હાલત હાલ ગંભીર જણાઈ રહી છે. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જામનગર જામજોધપુરના સડોદર ગામનો બનાવ
હજુ મહેંદી હત્યા કેસનો ભેદ ઉકેલ્યાને ગણતરીના કલાકો જ વિત્યા છે ત્યારે વધુ એક હેવાન પતિએ તુ પુત્રને બરાબર સાચવતી નથી એમ કહીને બંને પત્ની અને પુત્રને જીવતા સળગાવી દેવોનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ની પત્નીને અને બાળક ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસમાં જાણ કરાતો પલોસી ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પેટ્રોલ છાંટી પત્ની- પુત્રને જીવતા સળગાવી દીધા
આ તરફ વડોદરા શહેરના સમા વિસ્ચતારમાં 6 વર્ષની બાળકી અને 36 વર્ષની માતાનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે.સમા વિસ્તારમાં માતા પુત્રી શંકાસ્પદ હાતલમાં જણાતા પરિવારજનો માતા પુત્રીને તુરંત હોસ્પિટલ લખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ માતા પુત્રીને મૃત જાહેર કર્યા જેથી તે સમયે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે બંનેના મોતનું રહસ્ય હજું અકબંધ છે.
દ્વારકામાં એક જ પરિવારની મહિલાઓએ કર્યો આપઘાત
દ્વારકાના ભાણવડમાં સામૂહિક આત્યહત્યાની ઘટના સામે આવી જેમાં એક પરિવારની ત્રણ મહિલાઓએ અગ્મય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે, આ પરિવાર મૂળ જામનગરના શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી હોવાનું જણાઈ રહ્યં છે, થોડા દિવસ પહેલા જ આ પરિવાર દ્વારકાના ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો જે બાદ અચાનક પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.
ગુજરાતમાં વધ્યું ગુનાખોરીનું પ્રમાણ
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, દિવસે દિવસે હત્યા, અપહરણ, આપઘાત અને દુષ્કર્મ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દ્વારકાના ભાણવડમાં એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા સમગ્ર પંથરમાં અરેરાટી વ્યારી ગઈ છે, તો પરિવારમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો છે.