જામનગર: જિલ્લામાં મેઘરાજાની મહેર થતાં 261 માંથી 6 ડેમો છલકાયા છે. જોડિયાના હડિયાણા સહિતના મેઘમહેરથી નદી નાળા છલકાયા છે. કંકાવટી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ફુલજર-1 પન્ના કંકાવતી ઊંડી-3 બાલંભડી ડેમ ઓવરફલો થયો છે. રણજિત સાગર સસોઈ સપડા આજી-4 વોડી સાંગ ડેમમાં નવા નીર આવ્યા છે.
જામનગરમાં ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા છે. બેડ ગામમાં પાણી ઘુસી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો બાદ પાણી ઓસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સસોઈ ડેમના પાણી એંઠવાસમાં ઘુસી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 6 ડેમ ઓવરફલો થયા હતા.