રાજ્યમાં શાળાઓ ખુલવાને લઈને ગડમથલ ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક વિદ્યાર્થીની હોસ્ટેલમાં પ્રવેશ લે એ પહેલા કોરોના પોઝિટિવ આવી હતી જેને લઈને અટકળો થતા આખરે આજે શિક્ષણમંત્રીએ ખુલાસો કર્યો હતો.
જામનગરમાં હોસ્ટેલમાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ
શાળા બંધ નહીં થાય
આવતી કાલે શાળા ખુલશે
નવસારીના વાંસદાની પ્રતાપ હાઇસ્કુલને 100 વર્ષ પૂર્ણ થતાં શાળાના અભૂતપૂર્વ વર્ષોનો ગૌરવ પ્રસ્તુત કરતા શતાબ્દી સૌરભ પુસ્તકનું રાજ્યના શિક્ષણ પ્રધાનના હસ્તે વિમોચન થયુ હતુ. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. આ વખતે શિક્ષણમંત્રીએ જામનગરમાં વિદ્યાર્થીઓની કોરોના પોઝિટિવ આવી હતી તે અંગે ખુલાસો કર્યો હતો.
શું કહ્યું શિક્ષણમંત્રીએ?
જામનગરના જોડિયામાં હોસ્ટેરમાં એન્ટ્રી લેતા પહેલાં જ દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધોરણ 10 અમાં અભ્યાસ કરતીદીકરી શાળાએ ગઈ જ નથી. શાળા જતા પહેલા જ 4 દીકરીઓના ટેસ્ટ થયા જેમાંથી એક પોઝિટિવ આવી. એટલે તેને ઘરે પરત મોકલવામાં આવી હતી અને શાળા બંધ થઈ નથી. આવતીકાલ 15મીથી એ શાળા ચાલુ થઈ જશે.
શું હતી ઘટના?
રાજ્યભરમાં ધોરણ-10 અને 12ની શાળાો શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા જ જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 10ની વિદ્યાર્થિનીને કોરોનાની પુષ્ટી થતા તંત્ર અલર્ટ થયું હતુ.
જોકે જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો સિંગલ ડિઝીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરની સરકારી GG હોસ્પિટલમાં જામનગર શહેરના 08 પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. જ્યારે ગ્રામ્યનો માત્ર 01 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,687નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,295નો થયો છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.