દેશમાં પ્રથમ વખત સંયુકત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર જામનગર ખાતે તૈયાર થવા જઇ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જામનગર પ્રવાસ
જામનગરમાં GCTMનું કર્યું ખાતમૂહુર્ત
WHOના સહયોગથી બની રહ્યું છે કેન્દ્ર
જામનગર ખાતે WHOના સહયોગથી પ્રાચીન ચિકિત્સા દવાઓના કેન્દ્રની સ્થાપના થવા જઇ રહી છે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામના મેળવશે વિશ્વભરના મોટાભાગના દર્દીઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ GCTMનું ખાતમૂહુર્ત કર્યું હતું.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने जामनगर में विश्व स्वास्थ्य संगठन के पारंपरिक चिकित्सा वैश्विक केंद्र का उद्घाटन किया। pic.twitter.com/LFxzXyBbss
ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને પ્રધાનમંત્રી મોદીની આરોગ્ય પ્રત્યેની દીર્ઘદ્રષ્ટીના વખાણ કર્યા હતા. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ GCTMના આ કાર્યક્રમમાં વીડિયો સંદેશ દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.
પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર: ડૉ.ટ્રેડ્રોસે, WHO ચીફ
WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી. અને કહ્યું હતું કે નમસ્કાર કેમ છો બધા..ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, મારે ભારત સાથે જૂનો નાતો છે, મને હાઈસ્કૂલમાં ભારતીય શિક્ષકોએ શિક્ષણ આપ્યું, બોલિવૂડ ફિલ્મો જોઈને જ હું મોટો થયો છું.GCTMની મદદથી વિશ્વને અનેક ફાયદાઓ થશે. આ કામ માટે મોદી અને તેમની સરકારને ધન્યવાદ આપું છું. પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર છે, આ કામ માટે તમારો ધન્યવાદ. ભારત દુનિયાને દવા પહોંચાડશે અને દુનિયાભરના દેશો હવે ભારત આવશે
PM મોદીએ સંબોધનમાં શું કહ્યું સાંભળો
The @WHO Global Centre for Traditional Medicine in Jamnagar aims to bring ancient wisdom and modern science together. https://t.co/nbi6TLs9aU
જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપણે જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.
દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની ખાતરી મળશે
ત્યારે આ કેન્દ્રમાં WHO સાથે સંકળાયેલ 140 ઉપરાંત દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યારે આ પહેલથી આગામી સમયમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં ખ્યાતી મેળવશે.
PM મોદીને મળ્યો અંબાણી પરિવાર
જામનગરના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસ ખાતે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો કે, સમગ્ર મુલાકાત મામલે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાનગી સૂત્રો દ્વારા વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. નોંધનીય છે કે, આજે અંબાણી પરિવારના મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે.