પીરોટન ટાપુની અત્યાર સુધી ઓફલાઇન નોંધણીથી જ મુલાકાત લઈ શકાતી હતી હવે બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરાશે
પીરોટન ટાપુ ફરીથી બંધ થયો
ઘર્ષણોને કારણે બંધ રખાતો હતો ટાપુ
દરિયાઈ જીવો માટે પ્રખ્યાત છે આ ટાપુ
જામનગર અને કચ્છ વચ્ચેના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે.લાંબા ગાળા સુધી બંધ રહ્યા બાદ સરકારે ફરી પ્રવાસીઓને છૂટ આપી.પ્રથમ સીજનમાં રાજ્ય ઉપરાંત દેશભરના ૮૦૦ ઉપરાંત પ્રવાસીઓએ અહી મુલાકાત લીધી.
ઘર્ષણકીય પ્રવૃતિઓને કારણે બંધ રખાતો હતો ટાપુ
જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સવર્ધન થાય છે.જેને લઈને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓનો ઘસારો અહી રહેતો હતો.પરંતુ અહીંયા વધતી જતી ઘર્ષણકીય પ્રવૃતિઓને લઈને સરકારે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો.વર્ષો સુધી પીરોટન ટાપુ બંધ રહ્યા પછી એક માસ પૂર્વે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મરીન વન તંત્રની નિગરાની નીચે પીરોટન ટાપુ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે.દોઢ મહિના ઉપરાંત સુધી અહીં પ્રવાસીઓની આવન જાવન રહી.
બીજી સિઝન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે
26 જાન્યુઆરીથી માંડી 11 માર્ચ સુધી પ્રથમ સિઝનમાં નવ ટ્રીપ કરવામાં આવી.જેમાં અંદાજીત 800થી વધુ પ્રવાસીઓએ પ્રવાસ ખેડયો હતો, અપાયેલી છૂટથી વનવિભાગને 40 હજારથી વધુ આવક પણ થઈ છે. સાથે કોરલ જીવ સૃષ્ટિને અંત્યત નજીકથી નિહાળી હતી.આ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી નિયંત્રણો મૂકી દીધા અને પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી. હવે ઓક્ટોબર માસમાં બીજી પ્રવાસન તબ્બકાનો પ્રારંભ થશે.બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.