સુરત મનપાની બહાર આવેલી બેદરકારી હજુ સુધી લોકમાનસમાંથી ભૂંસાઈ નથી ત્યાં હવે જામનગર મહાનગરપાલિકા અને તેની સાથે જોડાયેલી ફાયર શાખાનો અંધેર વહીવટ સામે આવ્યો છે. એક ફાયર શાખાનાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટરને રાતોરાત ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાયાં છે. તો શું કેવી મજબૂરી છે સુરત મહાનગરપાલિકાની અને કેવો ચાલે છે અંધેરો વહીવટ.
સુરતમાં સર્જાયેલી આગ હોનારતે સુરત મ્યુનિસિપલ તંત્રમાં ચાલતી લાલિયાવાડીને ખુલ્લી પાડી દીધી હતી. જો કે તેમ છતાં કેટલાક નાના કર્મચારીઓ સિવાય કોઈ મોટા અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં સુરત મનપા નિષ્ફળ જ રહી છે. ત્યારે હવે જામનગર મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે. અહીં એક ફાયર શાખાનાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટરને રાતોરાત ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાયાં છે. તો શું કેવી મજબૂરી છે સુરત મહાનગરપાલિકાની અને કેવો ચાલે છે અંધેરો વહીવટ તે જોઈએ અમારા આ રિપોર્ટમાં.
સુરતની આગની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. સ્ટેટ અને જિલ્લા ફાયર વિભાગ પાસે યોગ્ય રેસ્ક્યૂ મશીનરીનાં અભાવે સુરતની ઘટનામાં મૃત્યુ આંક વધ્યો હતો એવા આક્ષેપ પણ થયા હતાં. એટલું જ નહીં સુરતમાં આગમાં બચાવ કામગીરીમાં થયેલા વિલંબનું એક કારણ એ પણ હતું કે સુરત મનપા અને ફાયર વિભાગ વચ્ચે સંકલનનો જ અભાવ હતો અને પરિણામે જવાબદાર અધિકારીઓએ યોગ્ય સમયે બચાવ કામગીરી હાથ ધરવામાં ઘોર ઉપેક્ષા દાખવી હતી.
તે ઘટનામાં સુરત મનપાની બહાર આવેલી બેદરકારી હજુ સુધી લોકમાનસમાંથી ભૂંસાઈ નથી ત્યાં હવે જામનગર મહાનગરપાલિકા અને તેની સાથે જોડાયેલી ફાયર શાખાનો અંધેર વહીવટ સામે આવ્યો છે. વાત એમ છે કે, જામનગર મહાનગર પાલિકા દ્વારા ફાયર સેફ્ટિ વિનાની સ્કૂલો, ક્લાસિસોને નોટિસો પાઠવવાનું અભિયાન હાલ કડક હાથે ચાલી રહ્યું હતું. પરંતુ ત્યાં જ જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઈ લાંબાગાળાની સીકલીવ પર ઊતરી ગયા.
તે પછી ડેપ્યુટી કમિશનર મુકેશ કુંભારાણાને આ જગ્યા માટે કોઈ યોગ્ય અધિકારી ન મળ્યા. તેમણે આ જવાબદાર પદ પર ફાયરશાખાના જ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઈશ્વર ધાણીદારને આરૂઢ કરી દીધા. એક ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યાનો ચાર્જ એક ડ્રાઈવર કમ પંપ ઓપરેટરને સોંપવા પાછળ આ તે મનપાનાં અધિકારીઓની કેવી મજબૂરી.
જ્યાં એક તરફ ડેપ્યુટી કમિશનરના આ નિર્ણયની ટીકા થઈ રહી છે. તો બીજી તરફ ધાણીદારને ચાર્જ મળતા જ એક જ દિવસમાં ધડાધડ 200 એનઓસી કાઢી આપીને અને ટયૂશન ક્લાસિસોનાં અને શાળાઓના સંચાલકોને રાજી કરી દીધાં છે. ડેપ્યુટી કમિશનરનાં આ પ્રકારના નિર્ણયમાંથી ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. કેમ કે ચાર્જમાં રહેલા બિનયોગ્યતા ધરાવતા કર્મચારી દ્વારા જે રીતે અને જે ઝડપથી એનઓસી આપવામાં આવી રહી છે તેમાં મિલિભગત હોય તેવું લાગી રહ્યું છે. કેમકે, કેમ કે એક જવાબદાર હોદ્દાનો એક બિન લાયક છતાં ચાર્જમાં રહેલા વ્યક્તિ દ્વારા એનઓસી કાઢવામાં ઉપયોગ કરાઈ રહ્યો છે તેમાં મોટા અધિકારીઓએ જવાબદારીમાંથી છટકી જવાની ગોઠવણ કરી હોય તેવું લાગી રહ્યું છે. ડેપ્યુટી કમિશનરના આ નિર્ણયની વિપક્ષે કડક ટીકા કરી છે.
વાત નોટિસની નથી. વાત એ છે એક ડ્રાઇવરને સોંપી દેવામાં આવેલી મહત્વપૂર્ણ જગ્યાની અને વળી ડેપ્યુટી કમિશનર કુંભારાણાનાં આ નિર્ણય પર કમિશ્નર સતીશ પટેલે પણ યોગ્યતાની મહોર મારી દીધી. અધિકારીઓના નિર્ણય શહેર માટે આશીર્વાદ બનશે કે અભિશાપ તે તો સમય કહેશે પરંતુ હાલ જેને આ ચાર્જમાં રહેલા અધિકારીએ એનઓસીની લહાણી કરી છે ત્યાં ભવિષ્યમાં કોઈ હોનારત સર્જાશે ત્યારે જવાબદારી ફિક્સ કરવામાં આ અધિકારીઓ આગળ આવશે ખરા?