રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના રાજકોટ નજીક આવેલ પડધરી ખાતે આવેલ મેઇન બજાર ખાતે પક્ષના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષના અગ્રણી ભીખુભાઇ દલસાણીયા ખાસ હાજર રહ્યા હતાં.આજરોજ પડધરી ખાતે યોજાયેલા આ કાર્યાલય ઉદ્ઘાટનમાં પક્ષના વિવિધ કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા.
આ કાર્યાલય શરૂ કરવાનો ઉદ્દેશ શહેર અને તાલુકાના લોકોના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ આવી શકે અને પ્રજાને વધારે દૂર જઇ હેરાન ના થવું પડે તે માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલયને શરૂ કરવામાં આવ્યું હતું.પડધરીના મેઇન બજાર ખાતે શરૂ કરાયેલ આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપના ધારાસભ્ય બાવનજીભાઇ મેતાલીયા તથા રાજકોટ સહિત જામનગરના પક્ષના વિવિધ હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયા રાજકોટના સાંસદ છે અને તેઓ ઘણાં વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે ફરજ બજાવીને પક્ષમાં એક સમયે ગુજરાત ખાતેની પણ વિવિધ જવાબદારી નિભાવેલ છે.