જામનગરમાં તહેવારોમાંજ ખુલ્લેઆમ મિત્રએ જ મિત્રને હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં ગુંડા તત્વોનો આતંક આમ વાત થઈ ગઈ છે ત્યારે બે માથાભારે મિત્રો વચ્ચે ઝઘડો થતા એક મિત્રએ જ મિત્રનું ખૂન કરી નાંખ્યુ હતુ.
ખુન બાદ મુકેશ રાઠોડ ફરાર
મકાન લે વેચના ધંધામાં બંને ભાગીદાર હતા
ધંધામાં મનદુઃખ થવાને લીધે મુકેશે શંભુની હત્યા કરી
જામનાગરમાં ગુલાબનાગરમાં મુકેશ રાઠોડે પોતાના જ મિત્ર શંભુ ડાંગરનું બેરહમીથી છરીના ઘા ઝીંકીને ખુન કરી નાંખ્યુ છે. આ ખુન બાદ મુકેશ રાઠોડ ફરાર છે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શું છે મામલો
વાત જાણે એમ છે કે જામનગરના ગુલાબનગરમાં રહેતા મુકેશ રાઠોડ અને શંભુ ડાંગર જીગરજાન મિત્રો હતા અને પોતે ધીરધાર તેમજ જમીનદલાલીનો ધંધો કરતા હતા. મકાન લે વેચના ધંધામાં બંને ભાગીદાર હતા ત્યારે આ મામલે જ બંને વચ્ચે કંઈક ચણભણ થઈ હતી.
પોલીસ કાર્યવાહી
પોલીસે હાલ તો હત્યાનો ગુનો નોંધીને તપાસની દીશા નક્કી કરી છે પરંતુ મુકેશ રાઠોડ ખૂન કરીને ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધખોળની તજવીજ કરી રહી છે અને હાલ શંભુ ડાંગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
ધંધામાં મનદુઃખ લઇ કરી હત્યા
ધંધામાં મનદુઃખ થવાને લીધે મુકેશે શંભુની હત્યા કરી છે. મકાન લેવેચના ધંધામાં બંને ભાગીદાર હતા. ગુલાબનગરમાં શંભુ ડાંગરની મુકેશે છરીના ઘા ઝીંકીને નીર્મમ હત્યા કરી છે.