જામનગર મહાનગરપાલિકાએ 129 જર્જરિત ઈમારતને નોટિસ પાઠવી, ટાઉન પ્લાનિંગ શાખાની 6 ટીમે સરવે કર્યો હતો જેમાં 129 ઈમારત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું.
જામનગરની જર્જરિત ઈમારતોને નોટિસ
129 જર્જરિત ઈમારતને નોટિસ
ટાઉન પ્લાનિંગ શાખાની 6 ટીમે કર્યો હતો સરવે
જામનગર મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત 129 જર્જરિત ઈમારતને નોટિસ પાઠવી છે. આ નોટિસ પાઠવ્યા પહેલાં મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની 6 ટીમે સરવે કર્યો હતો. જેમાં 129 ઈમારત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. જેથી મનપાએ તમામ ઈમારતના માલિકોને નોટિસ પાઠવી છે. મનપાની આ કામગીરીને લઈ વિપક્ષે પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા ધવલ નંદાએ આક્ષેપ કરતા કહ્યું કે, મનપાની નોટિસની કામગીરી માત્ર કાગળ પર છે. ગત વર્ષે પણ મનપાએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો હતો. જેના કારણે ગત વર્ષે શહેરના જૂના મઠ ફળી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.
વિપક્ષ નેતા ધવલ નંદાનું નિવેદન
જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે, જામનગર મહાપાલિકા દ્વારા 129 જેટલી જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવેલી છે પરંતુ આ બધી કાર્યવાહી ફક્ત કાગળ પર જ થાય છે તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષ જૂનુ જામાનગર વિસ્તાર છે ત્યાં મતપરી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થઈ હતી અને જેમા એક મહિલાનું મૃત્યું થયું હતું તેમજ તેની બાજુમાં બીજુ મકાન ધરાશાયી થયું હતું પરંતુ સદનસીબે કંઈ થયું નથી. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું મહાપાલિકા ફક્ત નોટિસ આપી સંતોષ માની લે છે પરંતુ આવું કરવાના બદલે આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
ટાઉન પ્લાનિંગ ઑફિસરે શું કહ્યું ?
ટાઉન પ્લાનિંગ ઑફિસર ઊર્મિલ દેસાઈએ જણાવ્યું કે, જામનગર મહા પાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં જર્જરિત કે, ભયજનક ઈમારતોનો સર્વ ચાલુ કરવામાં આવેલો છે, કમિશ્નરની સૂચના મુજબ તેમજ નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આ સર્વની કામગીરી માટે 6 ટીમોની રચના કરવામાં આવેલી છે તેમના દ્વારા એક વિકમાં સર્વ પૂર્ણ કરી દેવામાં આવશે.