જામનગરમાં બહુચર્ચિત ગુજસીકોટ કાયદા હેઠળ વકીલ વસંતરાય માનસાતાની ધરપકડ કરાઇ હતી. જમીન માફિયા જયેશ પટેલના જમીનો પચાવી પાડવાના 4 ગુનામાં આ વકીલની પણ સંડોવણી હતી. ત્યારે હવે રાજકોટની સ્પે. કોર્ટે વકીલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 આરોપીઓમાંથી 11 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.
બહુચર્ચિત ગુજસીકોટ કાયદા હેઠળ જામનગર પોલીસના ઓપરેશન જયેશ પટેલનો મામલે ભુમાફિયા સાથે સંકળાયેલ વકીલ વસંતરાય માનસાતાની ધરપકડ કરાઇ હતી. વકીલ માનસાતા અને જયેશ પટેલ સામે 4 ગુના નોંધાયા છે. જયેશના જમીન કૌભાંડમાં માનસાતા વકીલની ભૂમિકામાં હતો. ગુજસીટોક ફરિયાદમાં પણ વકીલ માનસાતાનું નામ પણ છે.
વકીલ વસંતરાય માનસાતાની આજે PI નિનામા અને પોલીસ અધિક્ષક નિતેષ પાંડેએ 13 દિવસના રિમાંડની માંગણી કરી હતી, જોકે રાજકોટની સ્પે. ગુજસીકોટ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પોલીસ રિમાન્ડમાં મહત્વની કડીઓ બહાર આવી શકે છે.
આ કેસમાં જયેશ સહિત ત્રણ આરોપી હજુ ફરાર
જયેશ પટેલ સહિત 14 સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. ત્યારે વકીલ માનસાતાની ધરપકડ સાથે ધરપકડનો આંક 11 પર પહોંચ્યો છે, જોકે હજુ આરોપી જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગણી ફરાર છે.